ગુજરાતમાં આજે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે ત્યારે વાવાઝોડુ આવશે કે નહીં તે તો કુદરત જાણે પણ તોફાની પવન સાથે વરસાદ આવશે એ નક્કી છે. ચક્રવાત ક્યાર પણ જતા જતા ગુજરાતમાં વરસાદ વરસાવી ગયુ હતુ ત્યારે ચક્રવાત 'મહા' પણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો કહેર વરસાવશે. આવે ટાણે સાવચેતીના પગલા લેવા જરૂરી છે. તો આ રહ્યા તમારે ધ્યાનમાં રાખવાના પગલા.
વાવાઝોડા પહેલાં આ રહ્યા સાવચેતીના પગલા
સેલવાળી બેટરી હંમેશા સાથે રાખો
મકાન મજબૂત છે ક નહીં તે ચકાસી લો. જર્જરિત મકાનોથી દૂર રહો
રેડિયો સતત ચાલુ રાખો લેટેસ્ટ સમાચારોથી અવગત રહો
સમાચારો અને ચેતવણીઓ સાંભળો અને તેને અનુસરો
સ્થાનિક અધિકારીઓ અને કચેરીઓના સતત સંપર્કમાં રહો.
ઢોરઢાંખરને બાંધેલા ન રાખો
માછીમારોએ દરિયામાં ન જવું. બોટને બને તો વ્યવસ્થીત જગ્યાએ લાંગરવી.
અગારિયોએ સલામત સ્થળે ખસી જવુ,
સલામત સ્થળે આશ્રય લઈ લેવો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કી કરાયેલા આશ્રય સ્થાને પહોંચી જવું
સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખવી.
અગત્યના ટેલિફોન નંબર હાથ વગા રાખવા.
મોબાઈલ ચાર્જ રાખવા, ચાર્જ કરેલી પાવરબેંક સાથે રાખવી.