પુલવામા હુમલા બાદ ભારતની એરસ્ટ્રાઇક, ડિપ્લોમેટ પ્રેસર અને LOC પર જવાબી કાર્યવાહીના કારણે પાકિસ્તાન બોર્ડર પર તણાવ ઘટાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનની સેનામાં ફફટાડ છે અને તેના કારણે તે હવે ભારતીય સેનાને અપીલ કરી રહ્યા છે. સેનાએ કરેલી આતંકીઓ સામેની કાર્યવાહી બાદ હવે પાકિસ્તાનની સેના શાંતિ માટે અપીલ કરી રહ્યા છે.
પુલવામા હુમલા બાદ ભારતની એરસ્ટ્રાઇક, ડિપ્લોમેટ પ્રેસર અને LOC પર જવાબી કાર્યવાહીના કારણે પાકિસ્તાન બોર્ડર પર તણાવ ઘટાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનની સેનામાં ફફટાડ છે અને તેના કારણે તે હવે ભારતીય સેનાને અપીલ કરી રહ્યા છે. સેનાએ કરેલી આતંકીઓ સામેની કાર્યવાહી બાદ હવે પાકિસ્તાનની સેના શાંતિ માટે અપીલ કરી રહ્યા છે.
ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાન ઘૂટણીએ પડ્યું છે. પાકિસ્તાની સેના એલઓસીથી પોતાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપને હટાવવા માટે તૈયાર છે. પાકિસ્તાની સેનાએ એલઓસીની નજીક સ્થિત આતંકીઓના લૉન્ચ પેડ્સ અસ્થાયી રીતે બંધ કરી દીધા છે. જો કે, ભારતે સ્પષ્ટતા કરી છે કે, આતંકવાદ અને ઘૂસણઘોરી અટકાવવા શાંતિ જ એકમાત્ર રસ્તો છે.
એક રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓની વચ્ચે વાતચીત થતી રહે છે. બંને દેશોના DGMO પણ મળે છે. પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર એરસ્ટ્રાઇક કરી. ત્યારબાદ એલઓસી પર તણાવ વધી ગયો. ભારતીય સેનાએ એલઓસી પર બોર્ડર પારથી થતી ફાયરિંગનો જવાબ આપ્યો છે. થોડાં દિવસ અગાઉ ભારતીય સેનાના ઓફિસરોએ જણાવ્યું કે, જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારતની સરખામણીએ 5-6 ગણું વધુ નુકસાન થયું છે.
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ભારત હાવી થઈ રહ્યું છે. વારંવાર થતાં સીઝફાયરને કારણે ભારતીય સેના જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાન શાંતિ માટે અપીલ કરી રહ્યા છે. જેના કારણે પાકિસ્તાની સેના હવે એલઓસીથી પોતાના સૌથી મજબૂત યુનિટ સ્પેશિયલ સર્વિસ ગ્રુપને હટાવવા તૈયાર થઇ ગયા છે. પોતાના તોપખાનાના ઉપયોગ પર પણ પ્રતિબંધની વાત કરી છે.
ભારતીય સેનાએ એરસ્ટ્રાઇક પહેલાં જ એલઓસી પર પુરતી તૈયારીઓ કરી લીધી હતી. અમેરિકા, રશિયા, ફ્રાન્સની સાથે જ તેમના નજીકના મિત્ર ચીને પણ સલાહ આપી હતી. યુએન દ્વારા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો. પાક. એફએટીએફની ગ્રે લિસ્ટમાં છે અને હવે તેને બ્લેક લિસ્ટમાં મુકાવાનું જોખમ પણ તોળાઇ રહ્યું છે. એવામાં કંગાળ અર્થવ્યવસ્થાના ઉકેલ માટે IMFમાંથી ઋણ મળવામાં પણ મુશ્કેલીઓ થશે. જેને લઈને હવે તે શાંતિની ભીખ માગી રહ્યા છે.