વાસ્તુ શાસ્ત્ર અનુસાર, અમુક પ્રાણીઓને ઘરમાં પાળવાથી સુખ-સમૃદ્ધિ અને સફળતા ક્યારેય તમારો સાથે છોડશે નહી. તો જાણો ક્યા ક્યા છે આ પ્રાણીઓ
અમુક પ્રાણીઓને ઘરમાં પાળવાથી મળે છે શુભ ફળો
સુખ-સમૃદ્ધિ અને સફળતાનાં ખુલે છે દ્વાર
ઘરમાં થાય છે ગુડલકનું આગમન
ઘણા ઘરોમાં પાળેલા પ્રાણીઓ હોય છે. ઘરમાં આ પશુ-પક્ષીઓને રાખવા, તેમની સેવા કરવી, તેમને ભોજન આપવું ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. આ પશુ-પક્ષીઓ તમને નિસ્વાર્થ પ્રેમ પણ આપે છે. આ ઉપરાંત, આ પાળેલા પ્રાણીઓ તમારા માટે સદ્ભાગ્યનાં દરવાજા પણ ખોલે છે. આજે અમે તમને એવા જીવો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને ઘરમાં રાખવા અત્યંત શુભ માનવામાં આવે છે. તેમને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ અને સફળતા ક્યારેય તમારો સાથ છોડશે નહી.
કાચબો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કાચબો પાળવો અત્યંત શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા બધા કામ સરળતાથી પાર પડે છે. ઘરમાં કાચબાનું હોવું ધન-વૈભવ અને ઐશ્વર્યમાં વધારો કરે છે.
માછલી
ઘણા ઘરોમાં એક્વેરિયમ હોય છે. માછલીઓને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મકતા અને સૌભાગ્ય બંને આવે છે. ખાસકરીને સોનેરી રંગની માછલીઓની સાથે એક કાળા રંગની માછલી પણ ઘરમાં રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં અપાર પૈસો આવે છે અને બધી જ તકલીફોથી છૂટકારો મળે છે.
સસલું
ઘરની નકારાત્મક ઉર્જાને જો દૂર કરવી હોય, તો ઘરમાં સસલું પાળવું એક સારો આઈડિયા છે. તે નકારાત્મકતાને સકારાત્મકતામાં બદલે છે અને બાળકોને ખરાબ નજરથી બચાવે છે. સાથે જ ઘરમાં ગુડલક પણ લાવે છે.
કુતરો
કુતરાની સેવા કરવી મનુષ્યને ઘણી તકલીફોથી બચાવે છે. કુતરાઓને કાળભૈરવનાં સેવક માનવામાં આવે છે અને કુતરો પાળવાથી ઘણા અશુભ ગ્રહો પણ શુભ ફળો આપવા લાગે છે.
ઘોડો
ઘોડાને ગુડલક સાઈનની લાઈનમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ તેને પાળવો સરળ નથી. એટલા માટે ઘરમાં ઘોડાનું સ્ટેચ્યૂ અથવા તસવીર અવશ્ય રાખવી જોઈએ જેથી તમને ઝડપથી સફળતા મળવા લાગશે.