આપણા સૌના પસંદગીનો શૉ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. જેને લઇને હાલમાં જ સમાચાર આવ્યા હતા કે શૉમાં અંજલિ મહેતાનુ પાત્ર ભજવનાર નેહા મહેતા અને સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ બંને આ શૉનો હિસ્સો નહી રહે. તો બીજી તરફ આપણે જાણીએ છીએ કે, રાકેશ બેદીએ શૉમાં એન્ટ્રી મારી છે.
તારક મહેતા..ના સેટ પર બદલાવ
નહી જોવા મળે અંજલિ ભાભી
સોઢીના રૂપમાં બલવિંદર સૂરી
મળતી માહિતી અનુસાર ગુરુચરણ સિંહની જગ્યાએ બલવિંદર સૂરી શૉમાં જોવા મળશે. ગુરુચરણ પોતાના પિતા સાથે સમય વિતાવવા માટે શૉમાંથી બ્રેક લીધો છે. તો અંજલિ મહેતાના પાત્ર માટે પણ ઓડિશન લેવામાં આવી રહ્યા છે. સૂત્રો અનુસાર અંજલિ તરીકે સુનયના ફોજદાર જોવા મળશે.
તમને જણાવી દઇએ કે, તારક મહેતા.. શૉ છેલ્લા 12 વર્ષથી સૌને હસાવી રહ્યો છે. આ શૉમાં દિલીપ જોષી 12 વર્ષથી જેઠાલાલ તરીકે ભૂમિકા ભજવી રહ્યાં છે. દિશા વાકાણીનું દયાબેનનું પાત્ર પણ દર્શકોને ખૂબ પસંદ છે. જો કે દયા બેને પાતોની દીકરી માટે શૉને અલવિદા કહી દીધુ હતુ પરંતુ ફેન્સ આજે પણ સ્ક્રીન પર દયા બેનને મિસ કરે છે.
જેઠાલાલ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર આવ્યા છે અને મા કસમ દિલીપ જોષી નામનુ તેમનુ ઇન્સ્ટા હેન્ડલ છે. તેમણે શરૂઆતમાં જ એક વીડિયો મૂક્યો હતો અને કહ્યું હતુ કે, તે આ પ્લેટફોર્મ પર નવા છે તો તેમનાથી કોઇ ભૂલ થાય તો માફ કરશો.
તેમજ તે ઇન્સ્ટા પર આવતા સાથે જ ફેક એકાઉન્ટથી પરેશાન થઇ ગયા હતા. તેમણે કહ્યું કે આ પ્રકારે ફેક એકાઉન્ટ ન બનાવશો.
હવે તારક મહેતામાં કોણ રહે છે અને કોણ જાય છે તે સમય સાથે જ ખબર પડશે.