સિતારાઓને તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવાનો શ્રેષ્ઠ માર્ગ સોશ્યલ મીડિયા છે. આજના ડિજિટલ યુગમાં, સોશ્યલ મીડિયા પર મોટી સંખ્યામાં હસ્તીઓ છે. સેલિબ્રિટીઝ તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
મનસિક શાંતિ માટે લીધો બ્રેક
સોશ્યલ મિડીયા ડિટોક્સ ખૂબ જરૂરી
સિતારાઓએ છોડ્યુ સોશ્યલ મિડીયા
કેટલીકવાર સ્ટારને ટ્રોલિંગ અથવા નકારાત્મકતાનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓ સોશ્યલ મીડિયાથી પોતાને દૂર રાખવાનું નક્કી કરે છે. આજે અમે તમને એવા પ્રખ્યાત સ્ટાર્સ વિશે જણાવીશું જેમણે માનસિક શાંતિ માટે અચાનક પોતાને સોશ્યલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો.
નેહા કક્કર
પ્રખ્યાત ગાયિકા નેહા કક્કરે તાજેતરમાં જ પોતાને સોશિયલ મીડિયાથી દૂર કરવાનું નક્કી કર્યું છે. સોશ્યલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ નિરાશા અને નેપોટીઝમના મુદ્દે ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે. આ સમયે સોશ્યલ મીડિયામાં પણ ઘણું નકારાત્મક વાતાવરણ સર્જાઇ રહ્યું છે. નકારાત્મકતા જોઈ નેહા કક્કરે થોડા સમય માટે સોશ્યલ મીડિયાને અલવિદા કહી દીધુ છે.
એરિકા ફર્નાન્ડિસ
"કસૌટી જિંદગી કી" પ્રખ્યાત કલાકાર એરિકા ફર્નાન્ડિસે પોતાને સમય આપવા અને પોતાના પ્રિયજનો સાથે સમય પસાર કરવા માટે સોશ્યલ મીડિયાથી પોતાને દૂર કરી દીધી છે. જોકે, સોશ્યલ મીડિયાથી અંતર બનાવતી વખતે તેણે કંઈપણ ઉલ્લેખ કર્યો ન હતો.
ચાહત ખન્ના
ચાહત ખન્ના સીરીયલ "બડે અચ્છે લગતે હૈં" ની પ્રખ્યાત કલાકાર છે. ચાહતને મે મહિનામાં ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. ચાહત તેના પતિથી અલગ રહે છે અને બાળકોનો ઉછેર કરે છે, જેના કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેણે લોકોને જવાબ પણ આપ્યો હતો, પરંતુ વાતાવરણ એટલું નકારાત્મક બન્યું કે તેઓએ સોશ્યલ મીડિયાથી દૂર રહેવાનું નક્કી કર્યું.
આશા નેગી
ઋત્વિક ધંજાની સાથેના બ્રેકઅપ બાદ આશા નેગીએ પોતાને સોશિયલ મીડિયાથી દૂર કરવાનું નક્કી કર્યું. આશાએ સોશ્યલ મીડિયા ડિટોક્સ લેવાનું નક્કી કર્યું અને લખ્યું કે "સ્વીચ ઓન કરવા માટે બંધ કરો, થોડા દિવસ પછી તમને બધાને મળીશ."
સુમેધ મુદગલકર
લૉકડાઉનના સમયમાં, ઘણા સિતારાઓએ લોકો સાથે સંપર્કમાં રહેવા માટે સોશ્યલ મીડિયાને એક માધ્યમ બનાવ્યું હતું, જ્યારે લોકોના હૃદયમાં કૃષ્ણની છબી બનાવનાર "રાધા કૃષ્ણ" ના સુમેધ મુદગલકરે પોતાને સોશ્યલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો હતો. તેણે આ સમયે સોશ્યલ મીડિયા ડિટોક્સ લેવાનું નક્કી કર્યું છે.
જય સોની
"સસુરલ ગેંદા ફૂલ" ના પ્રખ્યાત કલાકાર જય સોનીએ સોશ્યલ મીડિયાથી અંતર બનાવવાનું શરૂ કર્યું છે. માત્ર સોશ્યલ મીડિયા જ નહીં, તેણે પાર્ટીઓમાં જવાનું પણ બંધ કરી દીધું હતું. તેણે ઈંસ્ટાગ્રામ પરથી તેના ફોટો ડિલીટ કરી નાખવાનું શરૂ કર્યું, જય સોની કયા કારણોસર આ કરી રહ્યો છે, તે જાણી શકાયું નથી.