કોરોના મહામારીની વચ્ચે શારદીય નવરાત્રિની શરૂઆત થઈ છે. આ ઉપવાસ સ્વાસ્થ્ય પ્રક્રિયાને માટે સારા ગણાય છે. આ સમયે ગ્લૂટેન ફ્રી રહેવાના કારણે પાચન ક્રિયા સારી રહે છે અને શરીર કુશળતાથી કામ કરે છે, સાથે મસાલેદાર અને ફાસ્ટફૂડથી દૂર રહેવાથી ઈમ્યૂન પણ સારું રહે છે. તો જાણો નવરાત્રિના ઉપવાસમાં કઈ ચીજોને ડાયટમાં સામેલ કરવી જોઈએ.
કોરોના મહામારીમાં નવરાત્રિનો તહેવાર
ઉપવાસમાં 8 ચીજોને કરી લો અચૂક સામેલ
ઈમ્યુનિટી વધશે અને રહેશો સ્વસ્થ
નવરાત્રિમાં સાત્વિક ભોજન કરવામાં આવે છે. આ સમયે લીલા શાક અને ફળનું સેવન કરો. તે તમારા શરીરને ફાઈબર આપશે અને સાથે તેને હાઈડ્રેટ રાખવાની સાથે ઈમ્યુન સિસ્ટમને પણ દુરસ્ત રાખશે.
5 બદામ, 1 અખરોટ અને 5 કિશમિશ રોજ રાતે પલાળીને રાખો, સવારે પૂજા બાદ એક કપ ચા કે હૂંફાળા પાણી સાથે તેને લો. તેનાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધવામાં મદદ મળશે.
સવારે બ્રેકફાસ્ટ સમયે 1 કપ દૂધની સાથે મીઠા વિનાના રોસ્ટેડ મખાણા લો. તે ભૂખને કંટ્રોલ કરવાની સાથે ઈમ્યૂન માટે પણ સારું ગણાય છે.
એક કપ દૂધમાં કેળું કે સફરજન મિક્સ કરીને મિલ્ક શેક બનાવો. બોડી માટે તે સારું કહે છે. તમે કેળા કે સફરજનને બદલે ચીકુ પણ મિક્સ કરી શકો છો.
મોસંબી, નારંગી, લીંબુ જેવા ખાટા ફળનું સેવન ચોક્કસથી કરો. તેમાં વિટામિન સી સૌથી વધારે હોય છે અને તે ઈમ્યુન સિસ્ટમને ઝડપથી ઈમ્પ્રૂવ કરે છે.
બપોરે તમે શેકેલી મગફળી સાથે નારિયેળ પાણી પીઓ. તેનાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે. આ સિવાય અનેક રોગ દૂર થાય છે. તમે જ્યૂસ કે લીંબુ પાણી પણ પી શકો છો.
સાંજના સમયે સાબુદાણાની ખીચડી કે ખીરનો ઉપયોગ કરો. ડોક્ટર્સ રોગીને માટે પણ સાબુદાણાની ખીચડીની સલાહ આપે છે.
ડિનર પહેલાં કે પછી લીલા શાકનો સૂપ કે વેજિટેબલ સૂપ પીવાની આદત રાખો. તેમાં કોળાનો સૂપ સારો ગણાય છે.