આજે અમે તમને એવા 5 કામો વિશે જણાવશું જેને સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરવા જોઈએ.
સૂર્યાસ્ત પછી ખાસ કરીને અમુક કામ ન કરવા જોઈએ
સાંજના સમયે સૂવું ન જોઈએ
સાંજ પછી ઘરમાં અંધારું ન રાખો
આપણે બધા એ ઘરના વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે સૂર્યાસ્ત પછી કોઈ આવું કે પેલું કામ ન કરવું જોઈએ અને એ સમયે આપણે દરેક લોકોએ તેને અંધશ્રદ્ધા ગણીને અવગણ્યું હશે. પણ ખરેખર રીતે એ દરેક બાબતો પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે અને એ વાત ન માનવા પર આપણે જ નુકશાન વેઠવું પડે છે. સૂર્યાસ્ત કે અંધારું થયા પછી ખાસ કરીને અમુક આવા કામ કરવાથી ઘણા હસતાં હસતાં પરિવારો બરબાદ થઈ જાય છે. આજે અમે તમને એવા 5 કામો વિશે જણાવશું જેને સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરવા જોઈએ.
સાંજના સમયે સૂવું ન જોઈએ
સૂર્યાસ્તના નિયમો સૂર્ય આથમતો હોય ત્યારે ભૂલથી પણ સૂવું ન જોઈએ. શાસ્ત્રો અનુસાર સૂરજ આથમે એ સમયે સવાર અને સાંજ નું મિલન થતું હોય છે અને એ સાંજના સમયગાળા દરમિયાન જાગીને ભગવાનનું સ્મરણ કરવાથી શુભ ફળ મળે છે. પણ સાંજના સમયે જેઓ સૂતા હોય છે તેઓ આ પુણ્યથી વંચિત રહે છે આ સિવાય વૈજ્ઞાનિક રીતે વાત કરી તો સાંજે સૂવાને કારણે રાત્રે ઊંઘ નથી આવતી જેના કારણે માણસો બીમાર પડે છે.
સૂર્યાસ્ત સમયે કોઈને ઉધાર ન આપો
જીવનમાં વસ્તુઓની અને પૈસાની લેવડદેવડ અને ઉધારી ચાલતી રહે છે પણ ખાસ કરીને સૂર્યાસ્ત પછી કોઈની વસ્તુ ઉધાર ન આપવી જોઈએ કે ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે પૈસા કે વસ્તુની ઉધાર લેવડદેવડને કારણે મા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને એ કારણે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે.
સાંજ પછી ઘરમાં અંધારું ન રાખો
શસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી અનિષ્ટ શક્તિઓનો પ્રભાવ વધવા લાગે છે અને આવી શક્તિઓ અંધારામાં વધુ ખતરનાક બની જાય છે. એટલા માટે જ સૂર્યાસ્ત પછી ઘરમાં ક્યારેય અંધારું ન રાખવું જોઈએ. જો તમે અંધારું રાખો છો તો નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી શકે છે.
સૂર્યાસ્ત પછી નખ ન કાપવા
સૂર્યાસ્ત પછી આંગળીઓના નખ અને માથાના વાળ કાપવા અશુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં પૈસાની કમી સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આવું કરવાથી પરિવારમાં ઝઘડો વધે છે.