ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ આ 5 ભારતીય ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે.
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે T20 સીરીઝ રમશે
ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડ માટે ખતરો સાબિત થશે આ ખેલાડીઓ
આ 5 ભારતીય ખેલાડીઓથી ન્યુઝીલેન્ડની ટીમે બચીને રહેવાની જરૂર છે
શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સીરિઝ 3-0થી જીત્યા પછી હવે ટીમ ઈન્ડિયા તેના નવા મિશન તરફ આગળ વધી રહી છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI સીરીઝ રમવાની છે અને એ પછી ટીમ ઈન્ડિયા T20 સીરીઝ પણ રમશે.
આ સાથે જ આપણે બધા જાણીએ છીએ કે સીનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20I સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે અને આ સાથે જ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરિઝમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ આ 5 ભારતીય ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે.
1. શુભમન ગિલ
ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાના જે ખેલાડીઓથી બચીને રહેવાની જરૂર છે એ લિસ્ટમાં પહેલા નંબર પર ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલનું નામ આવે છે. અઆપણે બધા જાણીએ છીએ કે શ્રીલંકા સામેની T20 સિરીઝમાં કુલ 58 રન બનાવ્યા હતા. તે જ સમયે, ગિલે ODI સીરિઝમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે, તેણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં કુલ 127 રન બનાવ્યા છે.
2. સૂર્યકુમાર યાદવ
બીજા નંબર પર ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ છે આવે છે. શ્રીલંકા સામેની T20 સીરિઝમાં શાનદાર બેટિંગ જોવા મળી હતી. સૂર્યાએ રાજકોટમાં રમાયેલી મેચમાં અણનમ 112 રનની તોફાની ઇનિંગ રમી હતી અને તેણે ત્રણ મેચની T20 સીરિઝમાં કુલ 170 રન બનાવ્યા હતા.
Happy birthday Rahul sir!
You are an inspiration and a legend!
Thank you for giving me the space and the freedom in the team to go out there and be myself on the ground! 🙌 pic.twitter.com/7zFYhBzSJF
3. હાર્દિક પંડ્યા
આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ છે, જેણે શ્રીલંકા સામેની T20 સીરીઝમાં કુલ 45 રન બનાવ્યા હતા અને સાથે 2 વિકેટ પણ લીધી. આ સાથેજ એમને ODI સીરિઝ બે મેચ રમી રહ્યા હતા ત્યારે પંડ્યાએ 50 રન બનાવ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. ભલે પંડ્યાએ આ સીરિઝમાં કંઈ ખાસ કર્યું નથી પણ તેને ન્યૂઝીલેન્ડ સામેની T20 માં ટીમની કમાન સોંપવામાં આવી છે.
4. કુલદીપ યાદવ
આ લિસ્ટમાં કુલદીપ યાદવનું નામ ચોથા નંબર પર છે. કુલદીપ યાદવે શ્રીલંકા સામેની વનડે સીરિઝની બે મેચમાં કુલ 5 વિકેટ ઝડપી હતી અને એ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર બોલિંગ કરીને કુલ 8 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે T20 સિરીઝમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને કુલદીપ યાદવથી ખતરો હોઈ શકે છે.
5. ઉમરાન મલિક
આ યાદીમાં છેલ્લા નંબર પર ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકનું નામ આવે છે. જણાવી દઈએ કે ઉમરાને શ્રીલંકા સામેની T20 અને ODI સીરિઝમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેને T20 સિરીઝમાં કુલ 7 વિકેટ લીધી હતી. આ સાથે જ ODI સિરીઝમાં ઉમરાને બે મેચમાં કુલ 5 વિકેટ લીધી હતી.