એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના વિકાસની ઝડપ વધારવા માટે આ સપ્તાહના અંતમાં રજુ થવા વાળા બજેટની તૈયારીઓમાં ખુદ પીએમ મોદી ઘણો રસ લઇ રહ્યા છે. પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણા અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને ખેડૂત સમૂહો વગેરે સાથે અલગ-અલગ બેઠકો કરી જેથી તેમની મંદીને લઇને તેમના મંતવ્યો જાણી શકાય.
1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બજેટ ભાષણ આપશે
અજય ભૂષણ પાન્ડે પર સંસાધન વધારવાની જવાબદારી છે
એર ઇન્ડિયાની રણનીતિક વેચાણની જવાબદારી તુહીન કાન્તાના હાથમાં છે
1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બજેટ (Budget) ભાષણ આપશે. બ્લૂમ બર્ગ અનુસાર, અહીં જાણીએ બજેટને તૈયાર કરવા અને તેને અંતિમ રુપ આપવા માટે કયા 5 વ્યક્તિઓએ મહેનત કરી છે.
રાજીવ કુમાર, ફાઇનાન્સ સેક્રેટરી
નાણા મંત્રાલયમાં ટોપ બ્યૂરોક્રેટ રાજીવ કુમારે બેન્કિંગ સુધાર માટે કડક પગલા લીધા. તેઓએ બેન્કોના રીકેપિટલાઇઝેશન માટે બેન્કોના મર્જર (વિલય) નું કામ કર્યું. આશા રાખવામાં આ રહી છે કે, આ બજેટમાં તેઓ બેન્કિંગ સેક્ટરને સંકટથી બહાર લાવવા સાથે વપરાશ વધારવા માટે ક્રેડિટ ગ્રોથ વધારવાની દિશામાં કામ કરશે.
અતનુ ચક્રવર્તી, આર્થિક મામલાઓના સચિવ
અતનુએ ગત વર્ષ જુલાઇમાં કાર્યભાર સંભાળ્યો હતો, જે સરકારી સંપત્તિના વેચાણના એક્સપર્ટ માનવામાં આવે છે. તેમના કાર્યભાર સંભાળ્યા બાદ ઇકોનોમીની ઝડપ 5 ટકાથી નીચે આવી ગઇ પરંતુ તેમની આગેવાનીમાં બનેલા પેનલે ગ્રોથને પાટા પર લાવવા માટે એક ટ્રિલ્યન ડોલરથી વધારેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ તૈયાર કર્યો. બજેટ ખાધના લક્ષ્ય નક્કી કરવા માટે તેમના ઇનપુટ મહત્વપૂર્ણ છે. સાથે જ, તેઓ ઇકોનોમીમાં સ્પીડ વધારવા માટે સંસાધન વધારવા પર કામ કરી રહ્યા છે.
ટીવી સોમનાથન, વ્યય સચિવ
સોમનાથન હાલમાં જ નાણા મંત્રાલયમાં આવ્યા છે. તેઓ PMOમાં કામ કરી ચૂક્યા છે. કદાચ તેઓ જાણે છે કે, પીએમ મોદી કેવા પ્રકારનું બજેટ જોવાનું પસંદ કરશે. સોમનાથન પર સરકારી ખર્ચને એ પ્રકારે મેનેજ કરવાની જવાબદારી છે જેનાથી ખોટા ખર્ચમાં ઘટાડો આવે અને માંગમાં વધારો આવી શકે.
અજય ભૂષણ પાન્ડે, મહેસૂલ સચિવ
અજય ભૂષણ પાન્ડે પર સંસાધન વધારવાની જવાબદારી છે. કદાય તેઓ મંત્રાલયના એવા ઓફિસર છે, જેમના પર સૌથી વધારે દબાણ છે. કેમકે મંદીના મહેસૂલ આવક અપેક્ષાથી ઘણું ઓછુ થયું છે. આશા દર્શાવાઇ રહી છે કે, તેઓ ડાયરેક્ટ ટેક્સ કોડના કેટલાક પ્રસ્તાવોને પ્રભાવિત કરી શકે છે.
તુહીન કાન્તા પાન્ડે, વિનિવેશ સચિવ
એર ઇન્ડિયાની રણનીતિક વેચાણની જવાબદારી તુહીન કાન્તાના હાથમાં છે. અન્ય સરકારી કંપનીઓના વિનિવેશની જવાબદારી પણ તેઓના હાથમાં જ છે જેથી સરકારની આવક વધી શકે. નોંધનીય છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં 1.05 લાખ કરોડ રૂપિયાનો ટારગેટ પૂર્ણ નથી થયો અને આટલા ઓછા સમયમાં પૂર્ણ થવાના કોઇ અણસાર દેખાતા નથી.