24 અને 25 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે. જે ભારત માટે ખૂબ મહત્વ પૂર્ણ બની રહેશે. ભારત ટ્રમ્પની મહેમાનગતિમાં કોઈ ખામી ન રહી જાય તે માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે ભારત અને અમેરિકાની વચ્ચે આ 5 કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.
25 ફેબ્રુઆરીએ રક્ષા સહિત 5 કરાર પર થઈ શકે છે હસ્તાક્ષર
H1B વિઝા મુદ્દે વાત કરી શકે છે ટ્રમ્પ અને PM મોદી
દિલ્હીમાં PM મોદી અને ટ્રમ્પ વચ્ચે થવાની છે દ્વિપક્ષીય વાર્તા
ભારત- અમેરિકા વચ્ચે 5 કરાર પર હસ્તાક્ષર થઈ શકે
ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને ભારતીયોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં તંત્ર કામે લાગી ગયું છે. ત્યારે ટ્રમ્પનો આ ભારત પ્રવાસ આ 5 કરારને લીધે મહત્વનો બની રહેશે. ભારત- અમેરિકા વચ્ચે 5 કરાર પર હસ્તાક્ષર થઈ શકે.
ટ્રમ્પના ભારત પ્રવાસથી વૈશ્વિક કુટનીતિ સંબંધ વધુ મજબૂત થશે
આ પ્રવાસમાં ભારત અને અમેરિકા વચ્ચે 5 કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, વ્યાપાર સમજૂતિ પર ભારત કોઈ પણ પ્રકારની ડેડલાઈન નથીં બનાવવા માગતું. ટ્રમ્પના ભારત પ્રવાસથી વૈશ્વિક કુટનીતિ સંબંધ વધુ મજબૂત થશે.
H1B વિઝાને લઈને મહત્વના કરાર થશે
મંત્રાલય અનુસાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે MoU થઈ શકે છે. આ સાથે જ PM મોદી અને ટ્રમ્પ H1B વિઝા પર પણ વાતચીત કરી શકે છે. H1B વિઝા માટે અરજી કરનારાઓમાં 70 ટકા ભારતીય હોય છે. અને આ પોલિસીને લઈ એપ્રિલથી નવી વ્યવસ્થા પણ શરૂ થવા જઈ રહી છે. જે અંતર્ગત કંપનીએ હવે એ જણાવવું પડશે કે તેઓ કયાં કર્મચારીને અમેરિકામાં નોકરી આપી રહ્યાં છે. તેમજ કયા આધાર પર વર્ક પરમિટ આપવામાં આવે. તેમજ 25 ફેબ્રુઆરીએ રક્ષા સહિત 5 કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે.