અધિકમાસ કે જેને પુરુષોત્તમ માસના નામે ઓળખવામાં આવે છે તેમાં કોઇ પણ શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ વખતે અધિકમાસ 17 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી છે. તો આવો જાણીએ કે અધિકમાસમાં ક્યા શુભ કાર્યો થઇ શકે છે.
અધિકમાસમાં ન રોકી શકાય આ શુભકાર્યો
અધિકમાસમાં જન્મેલા બાળકો હોય છે શુભ
માતા પિતાનો પણ ભાગ્યોદય લાવે છે બાળકો
જો કોઇ દુર્ઘટનાથી બચવા માટે તમે મહામૃત્યુંજય જાપ કે હવન કરાવવા માંગો છો તો તે કરાવી શકાય. અધિકમાસમાં ઘરમાં પૂજા પાઠ કરાવી શકાય છે.
જો તમારા બાળકનો જન્મદિવસ હોય તો ઘરમાં પૂજા-પાઠ કરાવી શકાય છે. મિત્રો તેમજ સંબંધીઓ સાથે આવા પળો સેલિબ્રેટ કરવા માટે કોઇ મનાઇ નથી.
લગ્ન બાદ સંતાન પ્રાપ્તિ માટે શ્રીમંતને લઇને પણ કોઇ પ્રકારની રોક લગાવવામાં આવી નથી. અધિકમાસમાં તમે આ કામ પણ સંપૂર્ણ વિધિવિધાન પૂર્વક કરાવી શકો છો.
અધિકમાસમાં પેદા થયેલા બાળકો પણ ભાગ્યવાન હોય છે. 6 ગ્રહ ઉચ્ચના ચાલી રહ્યા છે. આવામાં પેદા થયેલા બાળકો કોઇ અવતારથી ઓછા નથી. તેમના પેદા થવાથી તેમના માતા પિતાનો પણ ભાગ્યોદય થશે.
જો કે અધિકમાસમાં કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન વિષ્ણુની પૂજા જરૂર કરી લો. સાથે જ મંત્રનો જાપ કરો અને મંદિરમાં જઇને ભગવાનને ભોગ ધરાવો.
વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ, કે કોઇ પણ પ્રકારની ખરીદી પર રોક લાગેલી છે. અધિકમાસમાં તમે આ કામ ન કરી શકો.