જ્યોતિષમાં સૂર્યને સૌથી પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે (14 જાન્યુઆરી, 2022) સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્યનું ગોચર લાવશે પરિવર્તન
આ 3 રાશિના જાતકોને થશે લાભ
મકર રાશિમાં સૂર્યનું થશે ગોચર
જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. તેને સૂર્ય સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 14 જાન્યુઆરી, શુક્રવારે બપોરે 2.30 કલાકે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. 13 ફેબ્રુઆરી 2022 સુધી સૂર્ય આ સ્થિતિમાં રહેશે. 14 જાન્યુઆરીએ જ્યારે સૂર્ય મકર રાશિમાં પરિવર્તિત થશે, ત્યારે કુલ 3 રાશિઓ પર સૂર્ય ભગવાનની વિશેષ કૃપા રહેશે.
સિંહ
મકર રાશિમાં સૂર્યનું ગોચર ફાયદાકારક સાબિત થશે. સિંહ રાશિના લોકો નોકરી કરતા હોય તેમને ઘણી સફળતા મળશે. આ ઉપરાંત લોકોની આર્થિક સ્થિતિ પણ ઝડપથી સુધરવાની છે. સૂર્યના ગોચર દરમિયાન ધન સંબંધિત મનોકામનાઓ પૂર્ણ થશે. જો કોઈ કારણસર પૈસા અટવાયા હોય તો તે પણ પરત મળી જશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર વિશેષ લાભદાયી સાબિત થશે. કાર્યસ્થળ પર તમને અનુકૂળ કાર્ય મળશે. તેમજ કામની પ્રશંસા થશે. કાર્યમાં પ્રગતિની સાથે-સાથે નાણાંકીય લાભ પણ થશે. આ સિવાય વેપારમાં આર્થિક પ્રગતિ થશે.
મકર
સૂર્યનું આ સંક્રમણ મકર રાશિમાં જ થશે. સૂર્યનું સંક્રમણ મકર રાશિના લોકો માટે ઘણી પ્રગતિ કરાવશે. સંક્રમણના સમયગાળા દરમિયાન નોકરીમાં પ્રમોશનની પ્રબળ સંભાવના છે. આ સિવાય કાર્યક્ષેત્રમાં જબરદસ્ત પ્રગતિ થશે. ધંધામાં લેણાંની પ્રાપ્તિ થશે.