ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
આ 3 ખેલાડીઓ ટીમમાંથી બહાર
ઇજાના કારણે નહી રમી શકે પ્લેયર્સ
કાનપુર ટેસ્ટમાં થઇ ઇજા
પ્લેઇંગ 11માંથી 3 ભારતીય ખેલાડીઓ
BCCI સચિવ જય શાહે બોર્ડની વેબસાઈટ પર જણાવ્યું કે ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે ઈજાના કારણે મુંબઈ ટેસ્ટની ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયા છે.
કાનપુર ટેસ્ટમાં ઈજા
કાનપુર ટેસ્ટના 5માં દિવસે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઈશાંત શર્માના ડાબા હાથની નાની આંગળીમાં ઇજા થઇ હતી, જેના પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણા હાથની ઈજા થઈ હતી. જ્યાં સોજો દેખાયો ત્યાં તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું, તેને આરામની સલાહ આપવામાં આવી. અજિંક્ય રહાણે ડાબા હાથની ઇજાથી પરેશાન છે, જે તેણે છેલ્લી ટેસ્ટના છેલ્લા દિવસે અનુભવ્યું હતું.
ટોસ મોડો થયો
આજે વરસાદમાં પલટો થવાના કારણે અને ચક્રવાતની ભીતિ વચ્ચે આજે વાનખેડેમાં ગ્રાઉન્ડ પણ ભીનું જોવા મળ્યું હતું. મેદાનમાં પિચ અને આઉટફિલ્ડ ભીની જોવા મળી હતી. જેના કારણે ટોસમાં મોડું થયું હતુ. અમ્પાયર્સ દ્વારા પરીક્ષણ કર્યા બાદ જ ટોસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ ખેલાડીઓની કિસ્મત ખુલશે
ઇશાંત શર્માની જગ્યાએ મો. સિરાજ, રવિન્દ્રની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણા અને રહાણેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે.