IPL 2022 મેગા ઓક્શનથી પહેલા નવી 2 ટીમોનું એલાન થયું છે. અમદાવાદ અને લખનઉની ટીમ હવે IPL માં સામેલ થઇ ચૂકી છે. ત્યારે હવે બંને ટીમના કેપ્ટન કોણ હશે તેને લઇને સવાલ પેદા થયો છે.
અમદાવાદની ટીમનો કોણ હશે કેપ્ટન?
આ 3 ખેલાડી પર ઉતરી શકે છે પસંદગી
CVC કેપિટલે 5166 કરોડમાં ખરીદી છે ટીમ
કોણે ખરીદી અમદાવાદની ટીમ
સીવીસી કેપિટલે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી લીધી હતી. હવે પ્રશ્ન તે છે કે અમદાવાદની ટીમનો કપ્તાન કોણ બનશે. તેવામાં આ 3 ખેલાડીઓના નામ સામે આવ્યા છે.
ડેવિડ વૉર્નર
સનરાઇઝર્સ હૈદરાબાદ ડેવિડ વોર્નરની વિદાય નિશ્ચિત છે અને હવે કાંગારુ બેટ્સમેને પહેલેથી જ કહ્યું છે કે તેઓ ઓક્શન પૂલમાં હશે. આવી સ્થિતિમાં અમદાવાદની ટીમ તેને કેપ્ટનશિપની જવાબદારી આપવાનું વિચારી શકે છે. વોર્નરે અત્યાર સુધીમાં IPLમાં 41.59ની એવરેજ અને લગભગ 140ના સ્ટ્રાઈક રેટથી 5449 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 50 અર્ધશતક સામેલ છે. આઈપીએલ 2021માં SRH ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જેના કારણે વોર્નરને નુકસાન સહન કરવું પડ્યું હતું. પહેલા તેને સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો અને પછી તેને સતત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો. હવે ઓસ્ટ્રેલિયન સ્ટાર નવી શરૂઆત કરવા માંગે છે.
આરોન ફિંચ
એરોન ફિન્ચ ટી-20 ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે, ફિન્ચના અનુભવને જોતા અમદાવાદની ફ્રેન્ચાઇઝી ચોક્કસપણે તેના પર નજર રાખશે. તેના નેતૃત્વ કૌશલ્યનો ટીમને ફાયદો થઈ શકે છે. ફિન્ચ વર્ષ 2020માં RCBનો હિસ્સો હતો પરંતુ 2021ની સિઝન પહેલા તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદની ટીમ ફિન્ચને પણ કેપ્ટન બનાવી શકે છે.
KL રાહુલ
રાહુલ આવતી સિઝનમાં બીજી ટીમ સાથે જોડાઇ શકે છે અને તે પંજાબ કિંગ્ઝ છોડવાનું મન બનાવી રહ્યાં છે. તેવામાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી તેના પર દાવ રમી શકે છે. તેનો રેકોર્ડ શાનદાર છે અને સાથે જ તે વિકેટકિપીંગની જવાબદારી પણ સંભાળી શકે છે.