ICC T20 વર્લ્ડ કપ 2022 માં ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચ રમવાની છે. આ પહેલા ટીમ ચાર મેચ રમી ચૂકી છે. જેમાથી ત્રણ મેચમાં જીત હાંસીલ કરી છે.
ICC T20 માં ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચ રમવાની છે
જે બાદ સેમિફાઈલનું ચિત્ર સ્પષ્ટ થશે
હાલમાં માત્ર ન્યૂઝીલેન્ડ જ સેમિફાઈનલમાં પહોંચી છે
ICC T20 વર્લ્ડ કપ 2022 માં સુપર-12 નો રાઉન્ડ હવે છેલ્લા ચરણમાં છે. સેમીફાઈલનું ચિત્ર હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે કેટલીક ટીમો હજુ પણ રાહ જોઈને બેઠી હતી. મેચમાં ન્યૂઝીલેન્ડ એક એવી ટીમ છે જે સેમિફાઈનલમાં પહોંચી છે. જ્યારે બાકી ટીમોનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. જેમાં ભારતનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયા સુપર-12 માં તેની છેલ્લી સેચ ઝીમ્બાવે સામે રમવાની છે. આ મેચના પરિણામ બાદ જ ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોચશે કે નહી તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતું એ પહેલા આવો જાણીએ સુપર-12 માં કેવું રહ્યું ટીમના ખેલાડીઓનું પ્રદર્શન અને ક્યાં ખેલાડીએ સૌથી કર્યા સૌથી વધુ લોકોને નિરાશ અને ક્યા ખેલાડી જોડે લોકોના હતી ઘણી બધી આશાઓ.
રોહિત શર્મા
બરાબર એક વર્ષ પહેલા યુએઈમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ લીગ મેચથી બહાર થઈ ગયું હતું. ત્યારે તે હાર બાદ ટીમ ભારત ખૂબ જ નુકશાન થયું હતું. ત્યારે એનું પરિણામ એવું આવ્યું કે વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી. વિરાટ બાદ રોહિત શર્માંને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ત્યારે હાલમાં રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ સારુ છે. પરંતું તે પોતાના પ્રદર્શનને લઈને ખૂબ જ નિરાશ છે.
રવિચંદ્રન અશ્વિન
ટી-20 વર્લ્ડ કપ માટે રવિચંદ્રન અશ્વિનને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ત્યારે લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. જો કે અશ્વિનને તેના અનુભવને કારણે ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવ્યો હતો પરંતુ ટીમ મેનેજમેન્ટે તેની પાસેથી અપેક્ષા રાખી હતી તે અપેક્ષા પર તેણે પાણી ફેરવી દીધુ. દિનેશ કાર્તિક
T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું એક એવું નામ દિનેશ કાર્તિક છે જેણે 37 વર્ષની ઉંમરે પુનરાગમન કર્યું હતું. ટીમમાં તેની ભૂમિકા વિકેટકીપિંગની સાથે સાથે ફિનિશરની પણ છે પરંતુ તે અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાં તેનામાં આવી કોઈ ઝલક જોવા મળી નથી. કાર્તિકના કારણે જ રિષભ પંત જેવા પ્રભાવશાળી બેટ્સમેનને પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડ્યું છે.