બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઇન્ડિયામાંથી આ 2 દિગ્ગજ ખેલાડીઓની થઇ શકે છે હકાલપટ્ટી, નામ જાણીને ચોંકી જશો
Last Updated: 05:29 PM, 14 January 2025
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર બાદ ગૌતમ ગંભીરનું કદ થોડું ઓછું થતું જોવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો બીસીસીઆઇ ટીમ ઈન્ડિયાના તેના બે ખાસ લોકોને બહારનો રસ્તો બતાવી શકે છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મળેલી હાર બાદ બીસીસીઆઇ એક અલગ જ મૂડમાં હોય તેવું લાગે છે. તાજેતરમાં બીસીસીઆઇ અધિકારીઓ, પસંદગીકારો અને કોચ-કેપ્ટનની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એવા અહેવાલો છે કે ગૌતમ ગંભીરના બે સહયોગીઓને પણ હાંકી કાઢવામાં આવી શકે છે.
ADVERTISEMENT
અમે વાત કરી રહ્યા છીએ અભિષેક નાયર અને રેયાન ટેન ડેસ્કાથે વિશે જેઓ ભારતીય ક્રિકેટ ટીમના સહાયક કોચ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બંને દિગ્ગજોની ભૂમિકા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે તેમને ટીમથી અલગ કરી શકાય છે. ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર થઇ શકે છે. અને તેમાં નિષ્ણાતોનો સમાવેશ કરી શકાય છે.
નાયર-ટેન ડેસ્કાથે પર પ્રશ્નો ઉઠ્યા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જ્યારે વિરાટ કોહલી ઓફ સ્ટમ્પની બહાર બોલ પર આઉટ થઈ રહ્યો હતો, ત્યારે રોહિત શર્મા પણ ટેકનિકલી નબળા દેખાતા હતા, ત્યારે પ્રશ્ન એ ઉભો થયો કે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ શું કરી રહ્યા છે? સુનીલ ગાવસ્કર અને સંજય માંજરેકરે મેચ દરમિયાન ઘણી વાર કહ્યું હતું કે બેટિંગ કોચ પાસેથી ખુલાસો માંગવો જોઈએ. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હાર બાદ કદાચ બીસીસીઆઇએ સ્વીકાર્યું છે કે કોચિંગ સ્ટાફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મદદ કરી શકતો નથી અને તેથી હવે પ્રોફેશનલ ટીમમાં જોડાઈ શકે છે.
આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / હવેથી મેચ હાર્યા તો ખેલાડીઓએ ભોગવવું પડશે મોટું નુકસાન, BCCI લઇ શકે છે મોટો નિર્ણય
આ સમાચાર ગંભીર માટે સારા નથી
જો બીસીસીઆઇ ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં ફેરફાર કરે છે તો ગૌતમ ગંભીર માટે આ સારા સમાચાર નથી. કારણ કે ગંભીરના આગ્રહથી જ અભિષેક નાયર અને ડેસ્કેથ ટીમ ઈન્ડિયામાં જોડાયા હતા. જો તેમને હટાવવામાં આવે તો ગંભીરના નિર્ણય પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ ઊભો થશે. જોકે મોર્ને મોર્કેલ એકમાત્ર એવો ખેલાડી છે જે ટીમ ઈન્ડિયામાં રહી શકે છે. મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ છે અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે તેમનું જવું નિશ્ચિત મનાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.