રિપોર્ટની ફાઈડિંગ્સને સોમવારે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં શેર કરવામાં આવશે. રિપોર્ટમાં આ વાતની પણ જાણકારી આપવામાં આવી છે કે 2020માં ભારતમાં કુલ અરબપતિઓની સંખ્યા 102થી વધીને 2022માં 166 થઈ ચુકી છે.
2020માં 102 હતી અરબપતિઓની સંખ્યા
2022માં વધીને થઈ ગઈ 166
રિપોર્ટમાં કરવામાં આવ્યો ચોંકાવનારો દાવો
દેશમાં 21 ભારતીય અરબપતિ એવા છે જેમની કુલ સંપત્તિ દેશના 70 કરોડ લોકોથી પણ વધારે છે. આ વાત ઓક્સફેમ ઈન્ડિયાના નવા રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ અનુસાર દેશના આ 21 અરબપતિઓની સંપત્તિમાં કોવિડ 19 શરૂ થયા બાદથી નવેમ્બર 2022 સુધી 121 એટલે કે રોજ 3,600 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
વર્ષ 2022માં 166 થઈ ગઈ ભારતીય અરબપતિઓની સંખ્યા
ઓક્સફેમ ઈન્ડિયાના નવા રિપોર્ટ "સવાઈવલ ઓફ ધ રિચેસ્ટઃ ધ ઈન્ડિયા સ્ટોરી" અનુસાર, જ્યાં 2021માં ફક્ત 5 ટકા ભારતીઓની પાસે દેશની કુલ સંપત્તિના 62 ટકાથી વધારે ભાગ હતો ત્યાં જ નીચેના 50 ટકા લોકોની પાસે ફક્ત 3 ટકા સંપત્તિ હતી.
રિપોર્ટના ફાઈન્ડિંગ્સને સોમવારે સ્વિટઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિ ફોરમમાં શેર કરવામાં આવશે. રિપોર્ટમાં આ વાતની પણ જાણકારી આપવામાં આવી છે કે 2020માં ભારતમાં કુલ અરબપતિઓની સંખ્યા 102થી વધીને 2022માં 166 થઈ ચુકી છે.
રિપોર્ટમાં અમુક ખાસ ફેક્ટ્સ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના 100 સૌથી અમીર લોકોની સંયુક્ત સંપત્તિ 660 અરબ ડોલર સુધી પહોંચી ગઈ છે જે આખા કેન્દ્રીય બજેટને 18 મહિનાથી વઘારે સમય સુધી ફંડ કરે છે.
ત્યાં જ જો ભારતના અરબપતિઓ પર તેમની આખી સંપત્તિ પર ટકાના દરથી એક વખત ટેક્સ લગાવવામાં આવે તો તે બીજા ત્રણ વર્ષો માટે દેશમાં કુપોષિત લોકોના પોષણ માટે 40,423 કરોડ રૂપિયાની જરૂરીયાતને પુરો કરી શકે છે.
અમીરોમાં ટેક્સ લગાવવાની અપીલ
આ મુદ્દે ઓક્સફેમ ઈન્ડિયાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે આગામી કેન્દ્રીય બજેટમાં સંપત્તિ ટેક્સ જેવા "પ્રોગ્રેસિવ ટેક્સ મેઝર્સ"ને લાગુ કરવાની અપીલ કરી છે. ઓક્સફેમ ઈન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે કહ્યું કે અમીરોની તુલનામાં ગરીબ વધારે ટેક્સની ચુકવણી કરે છે. જરૂરી વસ્તુઓ અને સેવાઓ પર વધારે ખર્ચ કરી રહ્યા છે.
સમય આવી ગયો છે કે આપણે અમીરો પર ટેક્સ લગાવીએ અને સુનિશ્ચિક કરીએ તે તે પોતાના યોગ્ય ભાગની ચુકવણી કરે. અમે નાણામંત્રી સાથે વેલ્થ ટેક્સ કર અને ઈનહેરિટેન્સ ટેક્સ જેવા પ્રોગ્રેસિવ ટેક્સ મેઝર્સને લાગુ કરવાનો આગ્રહ કરીએ છીએ તો ઔતિહાસિક રીતે અસમાનતાથી નિપટવામાં પ્રભાવિ સાબિત થયા છીએ.