સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મુખ્ય ભાગ સેન્ટ્ર વિસ્ટા એવન્યૂ તૈયાર થઈ ચુક્યો છે અને તેને હવે સામાન્ય લોકો માટે ખુલ્લો મુકાશે.
મોદી સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ
સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું કામ લગભગ પૂર્ણ થયું
પીએમ મોદી કરશે ઉદ્ધાટન, સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાશે
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક મુખ્ય ભાગ સેન્ટ્ર વિસ્ટા એવન્યૂ (વિજય ચોકથી ઈંડિયા ગેટ સુધી રાજપથની બંને તરફનો ભાગ) હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ચુક્યો છે. પુનર્વિકસિત સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂમાં રાજ્યવાર પકવાનના સ્ટોલ, ચારેતરફ હરિયાળીવાળા લાલ ગ્રેનાઈટવાળા ફુટપાથ, વેંડિંગ ઝોન, પાર્કિંગ સ્થળ અને ચોવિસ કલાક સુરક્ષા જેવી વિશેષતા અહીં જોવા મળશે. જો કે, લોકોની એક વાતની કમી અનુભવાશે કે ઈંડિયા ગેટથી માનસિંહ રોડ સુધીના ગાર્ડનમાં ભોજન કરવાની મંજૂરી મળશે નહીં.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદી આઠ સપ્ટેમ્બરની સાંજે પોતાની સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્ર વિસ્ટા એવન્યૂ અંતર્ગત વિજય ચોકથી ઈંડિયા ગેટ સુધી આખા ખંડનું ઉદ્ધાટન કરશે. આ ખંડ 20 મહિના બાદ જનતા માટે ખુલ્લો મુકાશે. ઉદ્ધાટનના દિવસથી આવનારા લોકોને ઈંડિયા ગેટથી માનસિંહ રોડ સુધી જવાની મંજૂરી નહીં હોય, પણ બાકીના ભાગનો ઉપયોગ કરી શકશે. સમગ્ર ખંડને નવ સપ્ટેમ્બરથી સામાન્ય લોકો માટે ખુલ્લો મુકાશે.
CPWDના પાંચ વેચાણ કેન્દ્ર સ્થાપિત કર્યા છે, જ્યાં દરેક ક્ષેત્રમાં 40 વેન્ડરને મંજૂરી આપવામાં આી છે. યોજના અનુસાર તેમને ગાર્ડન એરિયામાં મુલાકાતીઓને સામાન વેચવાની મંજૂરી આપવામાં આવી નથી. ઈંડિયા ગેટ પાસે બે બ્લોક હશે અને દરેક બ્લોકમાં આઠ દુકાનો હશે., અમુક રાજ્યોએ પોતાના પકવાનના સ્ટોલ લગાવામાં રસ દાખવ્યો છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આઈસ્ક્રીમની ગાડીઓને ફક્ત વેચાણ એરિયામાં જ મંજૂરી મળશે. ચોરી રોકવા માટે નવી સ્થાપિત સુવિધાઓને નુકસાન ન પહોંચાડવા માટે પોલીસકર્મી અને સુરક્ષા ગાર્ડને ભારે સંખ્યામાં તૈનાત કરવામાં આવશે.