બાબા વેંગા આ વર્ષ માટે કુલ 6 ભવિષ્ય વાણી કરી હતી જે આવનાર મહિનામા સાચી સાબિત થઈ શકે છે.
આ વર્ષે સાચી સાબિત થઈ છે બાબા વેંગાની બે ભવિષ્યવાણી
હવે આ ચાર ભવિષ્યવાણી પર છે લોકોની નજર
આવનાર મહિનામાં ભારતમાં વધશે મુસીબત
111 વર્ષ પહેલાં 1911માં બલ્ગેરિયામાં બાબા વેંગાનો જન્મ થયો હતો અને 1996માં તેમનુ અવસાન થયુ હતુ. પરંતુ તેમની ભવિષ્યવાણી આજે પણ ચર્ચામાં રહે છે. જ્યારે બાબા વેંગા જીવિત હતા ત્યારે તેમણે પોતાના જીવન અંગે ખુલાસો કર્યો હતો કે 12 વર્ષની ઉંમરે એક વાવાઝોડાંએ તેમને ઉડાવીને જમીન પર પછાડ્યા હતા. ત્યારબાદ તેમનું જીવન બદલાઈ ગયુ હતું.
બાબા વેંગા જે દ્રષ્ટિહિન હતા જેની આંખોની રોશની 12 વર્ષની ઉંમરમાં ચાલી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે એ પછી તેમને ભવિષ્ય દેખાતું હતું. એમને ઘણી ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થઈ છે. વર્ષ 2022ને લઈને એમને બે ભવિષ્યવાણી કરી હતી જે સાચી થઈ ગઈ છે. બાબા વેંગા આ વર્ષ માટે કુલ 6 ભવિષ્ય વાણી કરી હતી જે આવનાર મહિનામા સાચી સાબિત થઈ શકે છે.
આ વર્ષે સાચી સાબિત થઈ છે બાબા વેંગાની બે ભવિષ્યવાણી
બાબા વેંગાએ વર્ષ 2022 માટે કુલ 6 ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી 2 સાચી સાબિત થઇ છે. બાબા વેંગાએ ઓસ્ટ્રેલીયા ઉપરાંત અમૂક એશિયાના દેશોમાં પૂરને લઈને ભવિષ્યવાણી કરી હતી અને ઓસ્ટ્રેલીયામાં તો પૂર જ્રવી સ્થિતિ આવી ગઈ છે, જ્યારે પાકિસ્તાનમાં પૂરને કારણે 1 હજાર કરતા વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ ઉપરાંત, તેમણે ઘણા શહેરોમાં પાણીની અછતની પણ ભવિષ્યવાણી કરી હતી અને પોર્ટુગલમાં પાણીની અછત છે, જ્યારે ઇટલીમાં પણ આ જોવા મળે છે.
હવે આ ચાર ભવિષ્યવાણી પર છે લોકોની નજર
બાબા વેંગાએ વર્ષ 2022ને લઇને છ ભવિષ્યવાણી કરી હતી. જેમાં સાઈબેરિયામાંથી એક નવો ઘાતક વાયરસ સામે આવ્યાં સિવાય એલિયન હુમલા, તીડનુ આક્રમણ, અમુક દેશોમાં પૂર, અમુક દેશોમાં દુકાળ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વધારાની ભવિષ્યવાણી કરી હતી.
ભારતમાં આવનાર મહિનામાં વધશે મુસીબત
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2022માં ભારતમાં દુકાળ જેવી સ્થિતિની ભવિષ્યવાણી કરવામાં આવી હતી સાથે જ કહ્યું હતું કે વર્ષ 2022માં વિશ્વના દેશોમાં તાપમાન ઘટશે અને એ કારણે તીડના હુમલામાં વધારો થશે એટલા માટે ભારતમાં ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.