બીસીસીઆઇ એ વાતને લઈ ઘણા પ્રયાસો કરી રહી છે કે આઇપીએલની આગામી સિઝનમાં મેદાન પરના અમ્પાયરોને પગના નો બોલ પકડવામાં ટેકનિકલ મદદ મળે. આ પ્રયાસ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતામાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ બોર્ડ હવે આ નિયમ ભવિષ્યમાં પણ ચાલુ રાખવા અંગે વિચારણા કરી રહ્યું છે.
આઇપીએલની ગત સિઝનમાં નો બોલ અંગે ઘણી બબાલ પણ થઈ હતી
વિન્ડીઝ સામેની શ્રેણીમાં પણ આ ચાલુ રાખવામાં આવશે
રનઆઉટ કેમેરાને ઓપરેટર પોતાની મરજી પ્રમાણે ઝૂમ પણ કરી શકે છે
ટેસ્ટ મેચમાં મોટો વિવાદ સર્જાયો
બોર્ડ રનઆઉટ કેમેરાનો ઉપયોગ નો બોલ પકડવા માટે પણ કરી રહ્યું, જેથી અમ્પાયર બોલરની ભૂલને પકડી શકે. આઇપીએલની ગત સિઝનમાં નો બોલ અંગે ઘણી બબાલ પણ થઈ હતી, કારણ કે ઘણી મેચમાં અમ્પાયર બોલર દ્વારા કરવામાં આવેલા નો બોલને પકડી શક્યા નહોતા. ફક્ત આઇપીએલમાં જ નહીં, બલકે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં તાજેતરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં મોટો વિવાદ સર્જાયો હતો, કારણ કે ટેસ્ટ મેચના બીજા દિવસે બે સત્રમાં 21 નો બોલ મેદાન પરના અમ્પાયર પકડી શક્યા નહોતા.
''આ કામ હાલ પ્રગતિ પર છે''
બીસીસીઆઇના સંયુક્ત સચિવ જયેશ જ્યોર્જે જણાવ્યું, ''આ નવો નિયમ લાગુ કરવાની વાત છે અને નવા અધિકારી આ વાત સુનિશ્ચિત કરવામાં કોઈ કસર નહીં છોડે. આ કામ હાલ પ્રગતિ પર છે. આઇપીએલ હંમેશાં પ્રયોગ માટે રહી છે. અમારી કોશિશ છે કે આઇપીએલની દરેક િસઝન નવી ટેકનિક લઈને આવે અને રમતને આગળ લઈ જવામાં મદદ કરે.''
સંયુક્ત સચિવે વધુમાં કહ્યું, ''ભૂતકાળમાં આપણે જોયું છે કે પગનાે નો બોલ હંમેશાં એક વિવાદિત મુદ્દો રહ્યો છે. પગનો નો બોલ પકડવા માટે ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે. અમે આગામી વિન્ડીઝ સામેની શ્રેણીમાં પણ આ ચાલુ રાખીશું. થર્ડ અમ્પાયર દ્વારા જે કેમેરા રનઆઉટ જોવા માટે ઉપયોગમાં લેવાય છે એ જ કેમેરા નો બોલની તપાસ માટે ઉપયોગમાં લેવાશે. આ કેમેરા એક સેકન્ડમાં 300 ફ્રેમને કેદ કરી શકે છે. રનઆઉટ કેમેરાને ઓપરેટર પોતાની મરજી પ્રમાણે ઝૂમ પણ કરી શકે છે.