ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, ''જો રિષભ પંતે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર કરેલી ભૂલોને ફરી કરશે તો તેનું પરિણામ ભોગવવુ પડશે.'' રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ''આ યુવા ક્રિકેટર બેટ્સમેને ટીમ ઇન્ડિયાના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર નિરાશ કર્યો હતો.'' મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યા વિન્ડીઝ સામે વનડે સીરિઝમાં રમ્યો હતો. તે પ્રથમ વનડેમાં પ્રથમ બોલે ખોટો શોટ રમીને આઉટ થયો હતો. ''
જો તે જવાબદારીપૂર્વક નહી રમે તો તેનું પરિણામ ભોગવવુ પડશે: રવિ શાસ્ત્રી
જે રીતે વેસ્ટ ઇન્ડિઝ સામે પતં આઉટ થયો, તે નિરાશાજનક હતુ: રવિ શાસ્ત્રી
ટીમના હેડ કોચે લખ્યુ કે,''રિષભ પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ટૂર પર નિરાશ કર્યા હતા. અમે આ વખતે તેને જતો કરીએ છીએ. તે ત્રિનિદાદ ખાતેની પ્રથમ વનડેમાં જે પ્રકારનો શોટ રમીને આઉટ થયો હતો, જો તેવું રિપીટ કરશે તો તેની સાથે આ અંગે ચર્ચા થશે. તમારામાં ક્ષમતા હોય કે ન હોય તમારે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ.''
સમજદારી સાથે બેટિંગ કરે: રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીએ કહ્યુ કે, ''તમે જવાબદારી વગર બેટિંગ કરો છો ત્યારે તમે આખી ટીમને નિરાશ કરો છો. જયારે તમે રનચેઝ વખતે ક્રિઝ પર કપ્તાન સાથે ઉભા છો ત્યારે તમારે સમજદારી સાથે બેટિંગ કરવાની જરૂર છે. રિષભ પંતની ક્ષમતા પર કોઇ સવાલ ના કરી શકે, જો તે શૉટ સારી રીતે રમે અને નિર્ણય લેવામાં સુધારો કરે તો તેણે રોકવો સરળ નથી. ''
પંત પરિસ્થિતિ અનુસાર રમે છે: વિરાટ કોહલી
બીજી તરફ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તેની બેટિંગને લઇને કહ્યુ કે, ''ટીમ ઇચ્છે છે કે પંત પરિસ્થિતિના હિસાબથી રમે . અમે પંત પાસેથી માત્ર એટલી આશા કરીએ છીએ કે , તેઓ પરિસ્થિતિના હિસાબથી રમે. તે પોતાની આગવી શૈલીથી બેટિંગ કરે તેનાથી અમને કોઈ વાંધો નથી. આ પરિસ્થિતિ સમજીને તેમાંથી કઈ રીતે ઉભરવું તે અંગેની વાત છે.''
યુવાઓને 4-5 વખત પોતાને સાબિત કરવાની તક મળશે: વિરાટ કોહલી
વિરાટ કોહલીએ સ્પષ્ટ કહ્યું કે, ''ટીમના યુવા ખેલાડીઓએ 4થી 5 તકમાં પોતાને સાબિત કરવા પડશે. 2008માં ડેબ્યુ કરનાર કોહલીએ કહ્યું કે તેને પણ શરૂઆતમાં વધુ તકની આશા ન હતી. તેણે કહ્યું કે, T-20 વર્લ્ડ કપ પહેલા અમારી પાસે 30 જેટલી મેચો છે. ટીમનું માઈન્ડસેટ ક્લિયર છે. યુવાઓને 4-5 તક મળશે અને તેમને તેનો સારો સાચો ઉપયોગ કરવો પડશે.''