ગાંધીનગરમાં આ વર્ષે 17 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે અમદાવાદમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યું કે આ વર્ષે વાઇબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનનું કોઈ જ ડેલિગેશન આવવાનું નથી.
મહત્વનું છે કે ગાંધીનગરમાં વાઈબ્રન્ટ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશનાં બિઝનેસમેનને આમંત્રણ આપવામાં આવે છે. જો કે આ વખતે અનિલ અંબાણીને વાયબ્રન્ટ ગુજરાતમાંથી દૂર રાખવામાં આવ્યાં છે.
રાફેલ વિવાદ બાદ આમંત્રણ ન અપાયું હોવાંની પણ ચર્ચાઓ વહેતી થઈ છે. મહત્વનું છે કે રાફેલ ડીલ મામલે કોંગ્રેસે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. જ્યાર બાદ વાયબ્રન્ટ 2019માં અનિલ અંબાણીને દૂર રાખવામાં આવ્યાં હોવાંની પણ આશંકા છે.
મહત્વનું છે કે હવે સૌ કોઈની નજર પાકિસ્તાનનાં પ્રતિનિધિમંડળ દ્વારા વાઇબ્રન્ટમાં ભાગ લેવામાં આવે છે કે કેમ તેનાં પર મંડાઈ રહેલ છે ત્યારે ગઇ કાલે ગુજરાત સરકાર દ્વારા સમિટમાં હાજર રહેલાં દેશનાં ટોચનાં ઉદ્યોગપતિઓની સત્તાવાર યાદી જાહેર કરાઇ હતી. જેમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું પણ નામ નથી.
ઉલ્લેખનીય છે કે 18થી 20 જાન્યુઆરી દરમિયાન પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવમું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 યોજાવવાનું છે. જેમાં પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ દિવસીય સમારંભનાં પહેલાં દિવસે દેશનાં 19 જેટલાં ટોચનાં ઉદ્યોગપતિઓ તથા જાહેર ક્ષેત્રનાં એકમોનાં CEO પણ ઉપસ્થિત રહેશે.