નર્મદામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સભાને સંબોધતા કહ્યું જ્યારે જરૂર પડે ત્યાં બીટીપી ગઠબંધન હોય છે છતાં પણ પડખે ઊભી રહેતી નથી
કોંગ્રેસ-BTP વચ્ચે ગઠબંધનની શક્યતાઓ નહીવત
BTP સાથે ગઠબંધન ન કરવાનું કોંગ્રેસનું વલણ
"ગઠબંધન અંગે અંતિમ નિર્ણય હાઇકમાન્ડ લેશે"
હાલ ગુજરાતમાં તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના પ્રભારી બી એલ સંદીપ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલે BTP અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય તેવા સંકેત આપ્યા છે. જો કે, ગઠબંધન અંગે અંતિમ નિર્ણય હાઇકમાન્ડ લેશે. આપને જણાવી દઈએ કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર કોંગ્રેસે મોંઘવારી મામલે જાહેર મહારેલીનું આયોજન કર્યું છે. યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ આ રેલી દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ લોકોને મોંઘવારી મામલે જાગૃત કરી રહ્યા છે.
BTP અને કોંગ્રેસનું ગઠબંધન થવાની શક્યતા નહિવત
દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના પ્રભારી બી એલ સંદીપ તેમજ કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સંકેત આપ્યા છે. BTP અને કોંગ્રેસનું ગઠબંધન થવાની શક્યતા નહિવત છે. તેઓ નિવેદનમાં કહ્યું કે જે પક્ષના નેતાઓ રાજ્યસભામાં જો ગઠબંધન હોવા છત મત ન આપ્યો હોય એમની સાથે ગઠબંધન કરવામાં કોઈ મતલબ નથી.એટલે બિટીપી કોંગ્રેસના ગઠબંધમાં મોટું વિઘ્ન ઉભું થયું છે.
.. પણ હજુય આખરી નિર્ણય કોંગ્રેસ હાઈકમાંડ કરશે
મહત્વનું છે કે અગાઉ બીટીપીએ આપ સાથે ગઠબંધન કરી તોડી નાખ્યું હતું. બીજી તરફ હાલ મોટી ચર્ચા એ છે કે શું કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન થશે?તે બાબતે ઉપરોક્ત બંને નેતાઓએ એક સુરે કહ્યું છે કે BTP અને કોંગ્રેસનું ગઠબંધન નહીં થાય. કારણ કે રાજ્યસભા બીટીપીના ધારાસભ્યો કોંગ્રેસ સાથે રહ્યા નથી. પણ તોય બંને નેતાઑએ આખરી નિર્ણય કોંગ્રેસ હાઈકમાંડ પર છોડ્યો છે. તેઓએ હાઇકમાન્ડ સુધી રજુઆત કરી છે કે જરૂર પડ્યે બીટીપી કોંગ્રેસનો હાથ છોડી મૂકે છે. મહત્વનું છે કે જિલ્લા સ્થિત કોંગી કાર્યકરો પણ આ ગઠબંધનનો વિરોધ કરી રહ્યા છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે મોવી ખાતે સ્ટેજ પરથી જ કોંગ્રેસ પ્રભારીને આ મામલે ટકોર કરતા ચકચાર મચી હતી.
મોંધવારી મુદ્દે કોંગ્રેસ ગુજરાતભરમાં રેલીઓ કાઢી રહી છે
ગુજરાતભરમાં મોંઘવારી મુદ્દે જાહેર રેલી કરી કોંગ્રેસના નેતાઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે. ત્યારે આજે નર્મદા ખાતે રેલી પહોંચી હતી. દક્ષિણ ગુજરાતના પ્રભારી બી એલ સંદીપ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં મોંધવારી રેલીમાં લોકો હાજર રહ્યા હતા. સંબોધનમાં કોંગી નેતાઓએ કહ્યું હતું કે ભાજપ દ્વારા દેશમાં બેફામ મોંઘવારી વધારવામાં આવી રહી છે. તેમના ખોટા ખર્ચાઓ સરકારી ચોપડે પડે છે અને લોકોના ટેક્સના રૂપિયે ભાજપ પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે દેશમાં બેરોજગારી પણ વધુ છે.