અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં આવી રહેલા વિધ્નોને દુર કરવા સિદ્ધ સંતોનાં ઉપાસના સ્થળ પર આવેલા ફટિક શિલા આશ્રમમાં 17 ફેબ્રુઆરીથી ‘શ્રી સીતારામ નામ જય મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ -વિદેશના લોખો રામ ભક્તો જોડાશે.
23 વર્ષ બાદ આ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે
યોગી આદિત્યનાથ પણ આ મહાયજ્ઞમાં ભાગ લેશે
દેશ -વિદેશમાંથી લાખો ભક્તો જોડાશે મહાયજ્ઞમાં
યોગી આદિત્યનાથ પણ આ મહાયજ્ઞમાં ભાગ લેશે
મહાયજ્ઞમાં 1500 નામ જાપ કરનારાઓ દ્વારા 54 કીર્તન કુંજોમાં રામ મંત્રનો જાપ કરવામાં આવશે. 9 દિવસના આ અનુષ્થાનનું સમાપન 26 ફેબ્રુઆરીના રોજ થશે. મહાયજ્ઞમાં સીએમ યોગી આદિત્યનાથ પણ ભાગ લેશે.
મહંત શુકેદવ દાસની અધ્યક્ષતામાં થવા જઈ રહ્યો છે મહાયજ્ઞ
મહાયજ્ઞનાં આયોજક મહંત સુખદેલ દાસનાં જણાવ્યાનુંસાર રામમંદિરના નિર્માણ ઝડપથી થાય અને તેમાં આવતી અડચણો દુર થાય તે માટે મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. તપસ્વી સંત નારાયણ દાસ ઉર્ફે બગહી બાબાની 103મી જયંતી તથા મહંત રામજ્ઞા દાસની સ્મૃતિમાં 17થી 26 ફેબ્રુઆરી સુધી સીતારામ નામ જાપ મહાયજ્ઞનું આયોજન મંદિરનાં મહંત શુકેદવ દાસની અધ્યક્ષતામાં થવા જઈ રહ્યો છે.
દેશ- વિદેશનાં લગભગ એક લાખ ભક્તો આવશે
ફટિક શિલા આશ્રમના મહંત તથા સીતારામ નામ મહાયજ્ઞનાં આયોજક સુખદેવ દાસે જણાવ્યું હતું કે ,‘મહાયજ્ઞમાં આશ્રમની શિષ્ય પરંપરાથી જોડાયેલા દેશ- વિદેશનાં લગભગ એક લાખ ભક્તો આવશે. તેમણે જણાવ્યું હતું કે આશ્રમમાં 23 વર્ષો પછી સીતારામ નામ જપ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પહેલા પૂર્વ રામમંદિર નિર્માણ માટે આ વર્ષમાં થયો હતો આ મહાયજ્ઞ
આ પહેલા પૂર્વ રામમંદિર નિર્માણ માટે 1997, 1992માં સીતારામ નામ મહાયજ્ઞનું આયોજન બગહી બાબાનાં સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. બગહી બાબાની ગણતરી રામનગરીનાં તપસ્વી સંતોમાં કરવામાં આવતી રહી છે. તે આજીવન રામમંદિર નિર્માણની કલ્પનાને લઈને સંઘર્ષ કરતા રહ્યાં છે.