ગુજરાત કોંગ્રેસમાં સીનિયર નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રનાં કોંગ્રેસના ધારાસભ્યો ફરી કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યા છે. નારાજ ધારાસભ્યો એક-બે દિવસમાં બેઠક પણ મળનાર છે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસમાં ફરી નારાજગીના સૂર
સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં વિરોધના મળી રહ્યા છે સંકેત
કોંગ્રેસના પૂર્વ MLA લલિત વસોયા કોંગ્રેસથી નારાજ
જગદીશ ઠાકોરને અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છેઃકિરીટ પટેલ
ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક કલહ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી વિરોધનાં સંકેત જોવા મળી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાનાં સૂર હાલ તો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસીઓ નારાજ જોવા મળી રહ્યા છે. પક્ષથી નારાજગીને લઈને આગામી સમયમાં સીનીયર કાર્યકરો બળવો પણ કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. એક-બે દિવસમાં કોંગ્રેસી ધારાસભ્યોની બેઠક મળશે
સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો એક બે દિવસમાં બેઠક પણ કરવાનાં છે. ત્યારે પક્ષમાં થતી અવગણનાને કારણે પણ નેતાઓ નારાજ છે. બેઠક કરી આગામી રણનીતિ પર વિચાર કરવામાં આવશે. તેમજ કોંગ્રેસમાં આંતરકલહ પણ સમવાનું નામ લેતો નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી પછડાટ મળી છે. ત્યારે લલિત વસોયાના બગાવતી સૂરથી કોંગ્રેસમાં આંતર કલહ વધુ વકરે તેવી સંભાવનાઓ પણ કોંગ્રેસના સીનીયર નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે.
પક્ષ વિરોધી કામ કરનાર સામે અમે લખીને આપ્યું છેઃકિરીટ પટેલ
આ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે શાસક પક્ષ દ્વારા જે આક્ષેપ કરવા હોય તે કરી શકે. હાલનાં કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષથી ઘણી નારાજગી છે. પક્ષ દ્વારા ઝડપી કોઈ નિર્ણય લેવાતા નથી અમે ત્રણ ધારાસભ્યોએ પક્ષ વિરોધી કામ કરનાર સામે અમે લખીને આપ્યું છે. તો પણ તેઓની સામે પક્ષ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પક્ષ વિરોધી કાર્યવાહિ કરનાર સામે ઘણા લોકોએ લખીને આપ્યું છે તેમજ મૌખિક વાત પણ કરી છે. ત્યારે અમે લેખિતમાં જગદીશ ઠાકોરને આપ્યું છે. અને અમિત ચાવડાને પણ અને લખીને આપ્યું છે. જો હજુ પણ તેઓની સામે પગલા લેવામાં નહી આવે તો અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું. ત્યારે ધારાસભ્યોને હરાવવાની કામગીરી કરી છે, તેમજ પક્ષ વિરોધી કામગીરી કરી છે. તેઓની સામે પગલા નહી લેવાય તો અમે અમારી રીતે નિર્ણય લઈશું. કિરીટ પટેલની જેમ અન્ય ધારાસભ્યોમાં પણ નારાજગી છે તેવું કિરીટ પટેલે જણાવ્યું હતું. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તો નવાઈ નહી.
ગમે તે ઘડીએ બદલાઈ શકે છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા હાર બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આગામી ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની જગ્યાએ કોંગ્રેસ હાઈકમાન્ડ નવું નામ આગામી સમયમાં જાહેર કરશે.
ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર, VTV NEWS પાસે EXCLUSIVE માહિતી, કોંગ્રેસના પૂર્વ MLA લલિત વસોયા કોંગ્રેસથી નારાજ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી છે નારાજ, પક્ષથી નારાજગીને કારણે કરી શકે છે બળવો#gujarat#congress#vtvgujarati#breakingnewspic.twitter.com/1cvDwUunU0
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 11, 2023
પ્રદેશ પ્રમુખના નામને લઈને બે નામો ચર્ચામાં
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા જગદીશ ઠાકોરને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જેને લઈને કોંગ્રેસ હાઈ કમાન્ડ આગામી સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની જવાબદારી અન્ય વ્યક્તિને સોંપી શકે છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના નામને લઈને હાલ અર્જુન મોઢવાડિયા અથવા ર્ડા.જીતુ પટેલનું નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે. ત્યારે ગમે તે ઘડીએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બદલાઈ શકે છે. કોંગ્રેસે જાહેર કર્યું વિપક્ષ નેતાનું નામ
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તેની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા છે. શૈલેષ પરમાર દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે.