કોરોના કાળમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરીને પણ સફળતાપૂર્વક IPL ની 13 મી સીઝનનું આયોજન દેશની બહાર કરવામાં આવ્યું હતું. ખાલી સ્ટેડિયમ અને બાયો બબલ વચ્ચે રમવું એ ખેલાડીઓ માટે કોઈ પડકારથી ઓછુ નહોતું. ટૂર્નામેન્ટ શેડ્યૂલથી છ મહિના મોડી પૂરા થયા પછી હવે પછીની નવી સિઝનની વિષે પણ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
આગામી IPL માં 8 ની જગ્યા એ 9 ટીમો હોય શકે છે
અમદાવાદની ટીમને મળી શકે છે નવી ફ્રેન્ચાઈઝી
અમદાવાદમાં બનાવાયું છે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ
વર્ષ 2021, ટૂર્નામેન્ટની 14 મી સીઝન, ખૂબ જ અલગ હોવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના ક્રિકેટ કંટ્રોલ બોર્ડ , આઠ ફ્રેન્ચાઇઝીની આગામી સીઝનને નવ સાથે બદલાવવાનું વિચારી રહ્યું છે. આ અંગે તમામ ટીમને એક સંકેત પણ આપવામાં આવ્યો છે.
આઠને બદલે નવ ટીમ ?
કોરોના મહામારીના લીધે અને લોકડાઉનને કારણે થયેલા આર્થિક નુકસાનને સંતુલિત કરવાનું બોર્ડનું લક્ષ્ય છે. આ વાતને લઈને એવી અટકળોને વેગ મળ્યો છે કે આગામી IPL માં નિયમિત 8 ની બદલે 9 ફ્રેન્ચાઈઝીને જગ્યાઓ મળી શકે છે.
અમદાવાદ નવી ફ્રેન્ચાઇઝી હોઈ શકે છે
ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા તાજેતરમાં અમદાવાદનું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. મોટેરાનું પુનર્નિર્માણ કરતી વખતે દર્શકોની ક્ષમતા એક લાખ 10 હજાર જેટલી બનાવવામાં આવી છે. રમતગમત સંકુલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. બોર્ડ સેક્રેટરી જય શાહ પણ ગુજરાતમાંથી આવે છે, ત્યારબાદ નવમી ફ્રેંચાઇઝ અમદાવાદ હશે એવો અંદાજ છે.
ઇંગ્લેન્ડની ટીમ આવશે ભારત
મીડિયા હાઉસ સાથે વાત કરતાં સૌરવ ગાંગુલી એ સ્પષ્ટતા કરી દીધી છે કે 2021ની IPL ફક્ત ભારતીય ભૂમિ પર જ રહેશે. હવે ભારત ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જશે. ત્યારબાદ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડની ટીમ પણ ક્રિકેટ પ્રવાસ માટે ભારત આવશે. ત્યારબાદ એપ્રિલમાં નવી IPL ની સિઝન શરુ થશે.
જાન્યુઆરીમાં તેની હરાજી થશે?
IPL ની હરાજી સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં થાય છે, પરંતુ આ વખતે IPL કોવિડને કારણે મોડું થઈ ગયું છે, તેથી આગામી સીઝન માટેની હરાજી જાન્યુઆરી 2021 માં થઈ શકે છે. જો કે, આ અહેવાલો પર હજુ સુધી કોઈ પણ પ્રકારનું અથવા ખુલાસાનું સત્તાવાર નિવેદન આવ્યું નથી.