દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ઓછો થઈ રહ્યો નથી એવામાં ન્યૂઝીલેન્ડમાં કડક પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રીએ પોતાના લગ્ન પણ રદ્દ કર્યા છે.
ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રૉનના 9 કેસ નોંધાયા
સરકારે આખા દેશમાં રેડ સેટિંગ પ્રતિબંધ લગાવી દીધા
પ્રધાનમંત્રીએ પણ પોતાના લગ્ન કર્યા કેન્સલ
ભારતના નેતાઓ કઈક શીખે તો સારું
ન્યૂઝીલેન્ડના પ્રધામંત્રી જેસિંડા અર્ડને પોતાના લગ્ન રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કોરોના વાયરસને જોતાં કડક પ્રતિબંધોનું એલાન કરવામાં આવ્યું છે એવામાં પ્રધાનમંત્રીએ પોતાના જ લગ્ન રદ્દ કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તાત્કાલિક પ્રતિબંધો લાગ્યા
ન્યૂઝીલેન્ડમાં લગ્નમાં હવે વેક્સિન લીધેલ હોય તેવા 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે, એવામાં પ્રધાનમંત્રીએ કહ્યું છે કે હું બીજાથી અલગ નથી. ઘણા લોકો આ પ્રતિબંધોથી પરેશાન થશે જેના માટે મને ખેદ છે. ન્યૂઝીલેન્ડમાં રેડ સેટિંગ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવશે.
જેસિંડાએ કહ્યું કે બીજા હજારો લોકોથી અલગ નથી, આજ જીવન છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ન્યૂઝીલેન્ડમાં 52 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો સંક્રમિત થયા છે.
નોંધનીય છે કે આ દેશમાં ઓમિક્રૉન વેરિયન્ટના 9 કેસ સામે આવ્યા છે જે બાદ દેશની સરકાર એકદમ એક્શનમાં આવી ગઈ અને એક બાદ એક મોટા નિર્ણય લેવામાં આવ્યા. તાત્કાલિક લોકોનઆ જમા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે.
કોરોના સામે જંગ માટે પોપ્યુલર છે PM જેસિંડા
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડાને વિશ્વના ઘણા લોકો એક શક્તિશાળી મહિલા ગણાવે છે અને ખાસ કરીને કોરોના વાયરસ સામેના મેનેજમેન્ટ માટે ઘણા દેશોમાં તેમના વખાણ કરવામાં આવે છે. ફટાફટ લેવામાં આવતા નિર્ણયોના કારણે કોરોના વાયરસના ખૂબ ઓછા કેસ અને મોત ન્યૂઝીલેન્ડમાં થયા છે અને કોરોના વાયરસથી મુક્તિની જાહેરાત પણ ન્યૂઝીલેન્ડમાં જ સૌથી પહેલા કરવામાં આવી હતી. થોડાક જ કેસ સામે આવતાની સાથે જ આખા દેશમાં કડક પ્રતિબંધો લગાવી દેવા માટે PM જેસિંડા ઓળખાય છે.