રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. તેને લઈને રાજકોટ ભાજપમાં બે જૂથ પડી ગયા છે જેમા એક જૂથે કમિશનર સામે ગંભીર આક્ષેપો કર્યા તો બીજા જૂથે આ મામલે અંતર જાળવ્યું છે.
કમિશનર સામે લાગેલા આક્ષેપોને લઈ રાજકોટ ભાજપ 2 જૂથમાં ટ
MLA ગોવિંદ પટેલને મળ્યું સમર્થન
સાંસદ રામ મોકરિયાએ કમિશનર સામે કર્યા ગંભીર આક્ષેપ
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. ત્યારે આ મામલે હવે તો રાજકોટના રાજકારણમાં પણ ગરમાવો જોવા મલી રહ્યો છે. ખાસ કરીને આ સમગ્ર મામલે રાજકોટ ભાજપ જાણે કે બે જૂથમાં વહેચાઈ ગયું છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતાઓ દ્વારા પણ અલગ અલગ નીવેદનો આપીને ભાજપ પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
MLA ગોવિંદ પટેલને સમર્થન
રાજકોટ ભાજપના MLA ગોવિંદ પટેલના સમર્થનમાં ભાજપના ઘણા નેતાઓ આવ્યા છે. જેમા ખાસ કરીને અરવિંદ રૈયાણી અને સાંસદ રામ મોકરિયા પણ તેમના સમર્થનમાં આવ્યા છે. સાંસદ રામ મોકરિયાએ પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
સાંસદ મોહન કુંડારિયા અને MLA લાખાભાઈએ અંતર જાળવ્યું
તો બીજી તરફ આ સમગ્ર મામલે સાંસદ મોહન કુંડારિયાએ હજુ સુધી કોઈ નિવેદન નતી આપ્યું સાથેજ MLA લાખભાઈ સાગઠીયા દ્વારા પણ કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું અને બંને જણાએ આ મામલે અંતર જાળવ્યું છે. જેથી કહી શકાય કે રાજકોટ શહેર ભાજપમાં એક જૂથ આ મામલે કમિશનર પર ગંભીર આક્ષેપો સ્વીકારી રહ્યું છે જ્યારે અન્ય જૂથ આ મામલે મૌન સેવી રહ્યું છે.
કમિશનર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સામે જે પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે. તેને લઈને મુદ્દો હવે દિવસેને દિવસે વધારે વણસી રહ્યો છે. આ મામલે ટ્રેનિંગના DGP વિકાસ સહાય આજથી તપાસનો દોર હાથમાં લેવાના છે. પોલીસના મેન્યુલ મુજબ સિનિયરને તપાસ સોંપવી પડે તેવો નિયમ હોય છે. જેથી DGP વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી છે.
DGP વિકાસ સહાયના હાથમાં તપાસ
DGP વિકાસ સહાય મનોજ અગ્રવાલ કરતા બે વર્ષ સિનિયર અધિકારી છે. જેથી હવે તેઓ ધારાસભ્ય ગોવિંગ પટેલના લેટર અંગે તપાસ કરશે. તેઓ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચનો રોલ અને પોલીસ કમિશનકર પાસેની કુલ મિલકતની તપાસ કરી શકે છે. સાથેજ કમિશનર મનોજ અગ્રવાલ સામે પણ જે આક્ષેપો લાગ્યા છે. તેની પણ તપાસ થશે.
30 ટકા કમિશનની વાત
આ બનાવ વિશે જો વિગતવાર વાત કરીએ તો કમિશન મનોજ અગ્રવાલ પર આરોપ લાગ્યા છે કે તેમણે ફરિયાદી મહેશ સખીયા પાસેથી કમિશન પેટે ઉઘરાણી કરી હતી. રાજકોટના ફરિયાદી મહેશ સખીયાના 15 કરોડ ફસાયા હતા જેથી તેમણે કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી. જેથી કમિશનરે PI દ્વારા 30 ટકા કમિશનની વાત કરી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
15 ટકામાં મામલો સેટ કરાયો
30 ટકા કમિશનની માંગ સાથે 15 ટકામાં આ સમગ્ર મામલો સેટલ થયો અને તેને ફરિયાદીને ફરિયાદના બદલે અરજી આપવામાં કહેવામાં આવ્યું. અરજી આપ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે 7 કરોડ રૂપિયા પર અપાવ્યા જેમાથી કમીશન પેટે 1 કરોડ આપાવામા હતા. પહેલા 25 લાખ પીએસઆઈ વી. કે સખારાએ લીધા અને બીજા 50 લાખ વચેટિયાએ લીધા હતા તેવા ગંભીર આક્ષેપો રાજકોટ પોલીસ સામે લાગ્યા છે.
ફરિયાદી મહેશ સખીયાએ ભાજપ નેતાને વાત કરી
જોકે પીઆઈ દ્વારા બાકીના નાણાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી મહેશ સખીયાએ કંટાળીને ભાજપ નેતાઓને રજૂઆત કરી. જેથી આ મામલે ગોવિંદ પટેલે પત્ર લખીને ગૃહ રાજ્યમંત્રીને જાણ કરી હતી. માટે હવે ગૃહ વિભાગ દ્વારા સમગ્ર મામલે DGP વિકાસ સહાય.ને તપાસ સોંપવામાં આવી છે.
સાંસદ રામ મોકરિયાનું નિવેદન
સમગ્ર મામલે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે રાજકોટ પોલીસ હથિયાર માટે રૂપિયા પડાવે છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું થે કે જે રૂપિયા આપે તેનીજ ફરિયાદ નોંધાવામાં આવે છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે જમીન માફિયા, વ્યાજખોરો અને બુટલેગરોને પણ પોલીસ સાચવે છે. સાથેજ તેમણે કમિશનર મનોજ અગ્રવાલ પર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. વધુમાં તેમણે એવું પણ કીધું કે પોતાનો રેકોર્ટ સારો રાખવા મનોજ અગ્રવાલ પ્રયાસ કરી રહ્યા છે.
કમિશનરની મિલકતની પણ તપાસ થશે
ઉલ્લેખનીય છે કે પોલીસ મેન્યુઅલ મુજબ સિનિયરને તપાસ સોંપવી પડે તેવો નિયમ હોય છે. જેથી DGP વિકાસ સહાય મનોજ અગ્રવાલ કરતા 2 વર્ષ સિનિયર અધિકારી છે. જેથી હવે તેઓ ગોવિંદ પટેલના પત્ર અંગે તપાસ કરષે. જેમા પોલીસ કમિશનરની મિલકત અને ક્રાઈમ બ્રાન્ચનો રોલ પણ આ કેસમાં તપાસ થશે.