રાજકોટના પૂજાપાર્કની મહિલાએ જન્મ દિવસને જ જિંદગીનો અંતિમ દિવસ બનાવી દીધો. જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે બટરવાળી પાંઉભાજી ખાવી હતી પરંતુ પતિ તેલથી વઘારેલી પાંઉભાજી લઇ આવતાં મહિલાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી.
રાજકોટના પૂજાપાર્કની મહિલાએ જન્મ દિવસને જ જિંદગીનો અંતિમ દિવસ બનાવી દીધો. જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે બટરવાળી પાંઉભાજી ખાવી હતી પરંતુ પતિ તેલથી વઘારેલી પાઉંભાજી લઇ આવતાં મહિલાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી ઘરકંકાસના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. સામાન્ય બાબતોને લીધે પતિ-પત્ની વચ્ચે થઇ રહેલા અણબનાવો ક્યારે વધારે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. જેના કારણે બંન્ને પક્ષે પસ્તાવાનો વારો આવે છે. ત્યારે આવી જ એક ઘટના રંગીલા રાજકોટ શહેરમાં બનવા પામી હતી.
રાજકોટ શહેરના પૂજાપાર્કમાં રહેતા એક પરિવારમાં પત્નીનો જન્મદિવસ જીવનનો અંતિમ દિવસ બની જતાં અરેરાટી ફેલાઇ ગઇ. બનાવો જાણે એમ બન્યો હતો કે ધર્મપત્નીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે લવાયેલી ભાજી તેલવાળી હોવાથી મહિલાના લાગી આવ્યું હતું અને નજીવી બાબતમાં મોતને વહાલું કર્યું હતું. આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.