દિલ્હી: અમૃતસર ટ્રેન દુર્ઘટના અંગે રેલ રાજ્ય મંત્રી મનોજ સિંહાએ દુર્ઘટનાની સ્પષ્ટતા કરી. મનોજ સિંહાએ ટ્રેન દુર્ઘટના પર નિવેદન આપતા કહ્યું કે આયોજકો દ્વારા આ ઉજવણી અંગે રેલવેને કોઈ જાણકારી પણ આપવામાં નહોતી. રાવણ દહનની રેલવેને સૂચના પણ આપવામાં આવી નહોતી.
જેથી આ દુર્ઘટનામાં રેલવેની કોઈ ભૂલ નથી. આયોજકોએ રેલવેને કઓી જાણકારી પણ નહોતી આપી. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી એ રાજ્ય સરકારની જવાબદારી છે. અમૃતસરની આ ઘટના ખરેખર દુઃખનીય છે.
ફાટકથી માત્ર 300 મીટર દૂર જ આ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ દુર્ઘટના પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ટ્રેનના લોકો પાયલોટને આ મામલે ક્લીન ચીટ પણ મળી છે.
ઉલ્લેખનીય છે કે અમૃતસરની જોડા ફાટક પાસે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોવા માટે રેલવે ટ્રેક પર આવી પહોંચ્યા હતા.
પરંતુ અચાનક પઠાણ કોટ તરફથી પૂરપાટ સ્પીડે ટ્રેન આવી ગઈ. જે લોકોને પોતાની ઝપેટમાં લેતી ગઈ. આ ટ્રેન અકસ્માતમાં 60 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયાં છે. જેમને સારવારઅર્થે હોસ્પિલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.