સમગ્ર દેશમાં લોકસભાની ચુંટણી ઘણીજ નજીક છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ઝીણામાં ઝીણી કાળજી લેવામાં આવી રહી છે. એક એક બૂથ સુધીની કામગીરી આટોપવામાં આવી રહી છે. ગીર સોમનાથનાં ઉના વિધાનસભા મત વિસ્તારમાં એક એવું બુથ છે. જ્યાં દરેક ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય છે. જ્યારે એક બૂથમાં એક જ મતદાતા મતદાન કરે છે.
જેમ સૌરાષ્ટ્રનાં ગીરનાં ગાઢ જંગલમાં એશિયાઈ સિંહો વિશ્વ ભરમાં પ્રખ્યાત છે તેવી જ રીતે મઘ્યગીર જંગલમાં રહેતા એક મહંત પણ દેશ દુનિયામાં પોતાના મતાધિકારને લઇ જાણીતા બન્યા છે. ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે, જ્યાં 100 ટકા મતદાન થાય છે. એટલુ જ નહીં એક બૂથમાં એક જ મતદાતા મતદાન કરે છે. આ મતદાતાએ મતદાન બાદ કોને મત તે રાઝ પરથી આપ મેળે પડદો ઉચકાંઈ જાય છે. દેશનું એકમાત્ર બુથ એવું છે કે ત્યાં માત્ર અને માત્ર એક જ મતદાર છે અને આ એક મતદાર માટે ચૂંટણી પંચ અને કલેક્ટર મધ્યગીરમાં મતદાન મથક ઉભું કરે છે.
ગીર સોમનાથ જીલ્લાનાં જામવાળા ગીરથી 25 કિલોમીટર દુર મધ્યગીરમાં આવેલા બાણેજ મહાદેવ મંદિરનાં મહંત ભરતદાસ બાપુ બાણેજનાં એક માત્ર મતદાતા હોવાના કારણે ગીર જંગલમાં આંખે આખું પોલીંગ બૂથ ચૂંટણી પંચ દ્વારા દરેક ચૂંટણી વખતે ઉભું કરવામાં આવે છે. બાણેજ બુથમાં ભરતદાસ બાપુ દરેક ચૂંટણી વખતે અચૂક હાજર રહે છે. તેમજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. બાણેજ બુથમાં દરેક ચૂંટણીમાં 100 ટકા મતદાન પૂર્ણ થાય છે. બાણેજનાં મહંત ભરતદાસ બાપુનાં કહેવા પ્રમાણે અહીં ભારતનું ચુટણી પંચ હજારો રૂપિયા ખર્ચી એક મત માટે પોલીંગ બૂથ ઉભું કરે છે, પરંતુ કોઈ પણ રાજકીય નેતા એક મત માટે ક્યારેય પણ અહી પ્રચાર માટે આવતા નથી. જેના કારણે ઉમેદવાર કોણ છે તેની જાણ મહંતને હોતી નથી. મહંત પાર્ટીનાં સીમ્બોલને જોઈ પોતાનો મત આપી રહ્યા છે.
જોકે એક જ બૂથમાં એક જ મત હોવાના કારણે મત ગણતરી દરમ્યાન બાપુનો મત કોને મળ્યો તે ખુલ્લો પડી જાય છે. મહંત અત્યાર સુધી ત્રણથી ચાર વખત મત આપી ચુક્યા છે. જેમાં એક વખત કોંગ્રેસને જ્યારે બાકીના દરેક વખતે બીજેપીને મત મળ્યા હતા. આ વખતે જોવું રહ્યું કે બાણેજનાં મહંતનો મત કોને મળે છે..? જોકે સરકાર ક્યાં પક્ષની બનશે..? તેવો સવાલ મીડિયા દ્વારા કરવામાં આવતા બાપુએ કહ્યું હતું ભાજપની.