મોરબીના શનાળા રોડ પર સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે એક કારમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. કાર સીએનજી હતી અને કારમાં આગ લાગતા આખી કાર બળીને ખાખ થઈ છે. આગ લાગતા રોડ પર ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ હતી. જોકે, આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.