કેન્દ્રીય મંત્રી ગડકરીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સરકાર હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન ઓન ડિસિપ્લિન માટે એક નવા કાયદા પર કામ કરી રહી છે. તેને ભારતમાં ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવી શકે છે.
સમગ્ર વિશ્વમાં ટ્રક અને બસો ચાલે છે માત્ર એક જ લેન પર
રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વાહનોમાં થયો છે સુધારો
સરકાર સ્પીડ લિમિટ વધારવા પર કરી રહી છે વિચારઃ ગડકરી
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય વધુ કડક સુરક્ષા અને ઉત્સર્જન ધોરણો પર ભાર આપવાની સાથે-સાથે દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ભારતીય ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી અને મોબિલિટીને વર્લ્ડ ક્લાસ બનાવવા બદલાવ લાવવાના પ્રયાસમાં સૌથી આગળ રહ્યા છે.
નવા કાયદા પર કામ કરી રહી છે સરકાર: નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી ગડકરીએ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, સરકાર હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન ઓન ડિસિપ્લિન માટે એક નવા કાયદા પર કામ કરી રહી છે. તેને ટૂંક જ સમયમાં જ ભારતમાં લાગુ કરવામાં આવી શકે છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે, "વિશ્વભરમાં ટ્રક અને બસો માત્ર એક લેન પર ચાલે છે, પરંતુ ભારતમાં આવું નથી. અહીં તેની મોટાભાગે અવગણવામાં આવે છે. મેં મારી ટીમને એક એવી નીતિ પર કામ કરવા કહ્યું છે, જેનાથી તે અનિવાર્ય થાય કે આ કોમર્શિયલ વાહનો માત્ર એક જ લેનમાં ચાલે.''
'સરકાર વધારી શકે છે સ્પીડ લિમિટ'
ગડકરીએ કહ્યું હતું કે, જ્યારે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વાહનોમાં સુધારો થયો છે, ત્યારે કેટલીક જગ્યાએ હાલની સ્પીડ લિમિટ પણ તુલનાત્મક રીતે ઘણી ઓછી છે. વાહનચાલકો વર્તમાન સ્પીડ લિમિટની સાથે મહત્વાકાંક્ષી દિલ્હી-જયપુર હાઇવેની વચ્ચે 2 કલાકથી ઓછા સમયમાં કેવી રીતે મુસાફરી કરી શકશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, સરકાર સ્પીડ લિમિટ વધારવા પર વિચાર કરી રહી છે.
આ હાઈવે પર વધશે સ્પીડ લિમિટ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, “એવા હાઈવે પર કે જ્યાં વચ્ચે કોઈ આંતરછેદ નથી અને વાહનો એક જ દિશામાં આગળ વધી રહ્યા છે, અમે વાહનોની મહત્તમ સ્પીડ 140 કિમી પ્રતિ કલાક સુધી વધારી શકીએ છીએ. મેં આવા રાજ્યોના સંબંધિત મંત્રીઓની સાથે એક્સપ્રેસ હાઈવે વિશે ચર્ચા કરી છે. હાં, કેટલીક લેન એવી હશે, જ્યાં સ્પીડ લિમિટ 120 કિમી પ્રતિ કલાક હશે. શહેરોમાં આ 60-80 કિમી પ્રતિ કલાકની વચ્ચે હોઈ શકે છે. અમે નવા સારા રસ્તા બનાવ્યા છે અને સ્પીડ લિમિટ જૂની જ છે.''
દેશમાં ફ્લેક્સ ફ્યુઅલને પ્રોત્સાહન આપવાની છે જરૂર
આ પહેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, દેશમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતાં વધ-ઘટનો સામનો કરવા માટે ફ્લેક્સ ફ્યુલ અને ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આવા વાહનોમાં ઈધણ તરીકે પેટ્રોલ અને ઇથેનોલ અથવા મિથેનોલના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે.