વૈજ્ઞાનિકોએ થોડા દિવસો પહેલા પૃથ્વીને લઈને મોટી ચેતવણી આપી હતી. તેઓનું કહેવું છે કે એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાઈ શકે છે.
નવા વર્ષની શરૂઆત પહેલા દુનિયા માટે માઠા સમાચાર
પૃથ્વી તરફ આવી રહ્યો છે વિશાળકાય એસ્ટેરોઈડ
પરમાણુ બોમ્બ છોડવામાં નહીં આવે તો પૃથ્વી પર સર્જાઈ શકે છે વિનાશ
લાખો વર્ષ પહેલા એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાઈ હતી. આ અથડામણમાં ડાયનાસોર મરી ગયા. જેના કારણે હવે વૈજ્ઞાનિકો આ ખતરાને પહોંચી વળવાની તૈયારીઓમાં લાગેલા છે.
પરમાણુ બોમ્બ છોડવો એ જ વિકલ્પ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો એસ્ટરોઇડને પૃથ્વીના માર્ગ પરથી હટાવવા હોય તો પરમાણુ બોમ્બ છોડવો એ સારો વિકલ્પ હોઈ શકે છે.
વૈજ્ઞાનિકો ચિંતિત
પૃથ્વી સાથે અથડાતા લઘુગ્રહને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત છે, કારણ કે મેક્સિકો નજીક એક એસ્ટરોઈડ પૃથ્વી સાથે અથડાયો હતો, જેના કારણે પૃથ્વી પરથી ડાયનાસોરનો નાશ થયો હતો. આ અથડામણ લાખો વર્ષો પહેલા થઈ હતી, ત્યારે ડાયનાસોર પૃથ્વી પર રાજ કરતા હતા, પરંતુ હવે તેઓ પૃથ્વી પર ક્યાંય નથી. આ કારણે, વૈજ્ઞાનિકો હવે ખતરનાક એસ્ટરોઇડને પૃથ્વી સાથે અથડાતા અટકાવવા માટે ઘણા પગલાં લઈ રહ્યા છે, જેમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ સામેલ છે.
તાત્કાલિક લેવો પડશે નિર્ણય, વધુ સમય નથી
વૈજ્ઞાનિકોએ નવા રિસર્ચમાં દાવો કર્યો કે એસ્ટરોઈડ ધરતી સાથે ટકરાવાને કોઈ વધુ સમયગાળો નથી. માટે ધરતીના રસ્તા પરથી તેને હટાવવા માટે વધુ ઉર્જાની આવશ્યકતા રહેશે જેનાથી એસ્ટરોઈડના નાના-નાના ટૂકટા થઈ જાય.
પરમાણુ બોમ્બ છેલ્લો રસ્તો
એક્ટા ઓસ્ટ્રોનોટિકા જર્નલમાં પ્રકાશિત પેપરમાં આ ચેતવણી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લઘુગ્રહને નષ્ટ કરવા માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરવાથી તેને પૃથ્વી સાથે અથડાતા અટકાવી શકાશે. પરંતુ તે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે અણુ બોમ્બનો ઉપયોગ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. જો સમય હોય, તો એસ્ટરોઇડને માર્ગમાંથી હટાવવા માટે અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવો જોઈએ.
એસ્ટરોઈડ પર રાખવામાં આવી રહી છે ચાંપતી નજર
યુએસ સ્પેસ એજન્સી પૃથ્વી સાથે અથડાવાની સંભાવના ધરાવતા એસ્ટરોઇડ પર ચાંપતી નજર રાખી રહી છે. નાસાના સંશોધકોએ એસ્ટરોઇડ Bennu પૃથ્વી સાથે ટકરાવાના સમયનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસથી માહિતી સામે આવી છે કે તે વર્ષ 2300 સુધીમાં પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.