હવે 9મી જુલાઈનાં રોજ સેમી ફાઇનલમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ અને 11 જુલાઇનાં રોજ ઑસ્ટ્રેલિયાનો સામનો ઇંગ્લેન્ડથી થશે. પરંતુ એવામાં ક્રિકેટ ચાહકોને માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. વાતાવરણ પુર્વાનુમાન અનુસાર મંગળવારનાં રોજ યોજાનારી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડનાં સેમીફાઇનલનાં મુકાબલામાં વરસાદ થઇ શકે છે. માત્ર એટલું જ નહીં રિપોર્ટનાં અનુસાર, આ વરસાદ સતત ત્રણ દિવસ સુધી થઇ શકે છે.
વિશ્વકપની 12 મી સીઝનની ટીમ હવે સેમિ-ફાઇનલમાં પહોંચી ગઈ છે. 45 લીગનાં મુકાબલા બાદ ટીમ ઇન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યુ તો ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમ ટોપ-4માં શામેલ થઇ. હવે 9મી જુલાઈનાં રોજ સેમી ફાઇનલમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ અને 11 જુલાઇનાં રોજ ઑસ્ટ્રેલિયાનો સામનો ઇંગ્લેન્ડથી થશે. પરંતુ એવામાં ક્રિકેટ ચાહકોને માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે.
વાતાવરણ પુર્વાનુમાન અનુસાર મંગળવારનાં રોજ યોજાનારી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડનાં સેમીફાઇનલનાં મુકાબલામાં વરસાદ થઇ શકે છે. માત્ર એટલું જ નહીં રિપોર્ટનાં અનુસાર, આ વરસાદ સતત ત્રણ દિવસ સુધી થઇ શકે છે. તમને જણાવી દઇએ કે પહેલા પણ વર્લ્ડકપનાં મુકાબલામાં વરસાદ આવી ચૂકેલ છે અને આ જ કારણથી ભારત-ન્યૂઝીલેન્ડનો મુકાબલો પણ રદ થઇ ગયો હતો. એવામાં આપણે જાણીએ કે જો સેમી ફાઇનલમાં પણ વરસાદ આવશે તો શું થશે.
(Credit: sportskeeda)
વરસાદી વાતાવરણમાં ઉપલબ્ધ હશે આ બે વિકલ્પોઃ
જો મંગળવારનાં રોજ વરસાદને કારણથી ભારત-ન્યુઝીલેન્ડની સેમિ-ફાઇનલ્સનો મુકાબલો ટળી જાય તો પછી ઠીક આગામી દિવસે બુધવારનાં રોજ બંને વચ્ચેનો મેચ રમાઇ શકે. હકીકતમાં ગ્રુપ મેચોમાં રિઝર્વ-ડેની કોઇ જ જોગવાઇ નથી પરંતુ નોકઆઉટ મેચ એટલે કે સેમિફાઇનલ અને અંતિમ મુકાબલા માટે રિઝર્વ-ડે (અતિરિક્ત દિવસ)ની જોગવાઇ રાખવામાં આવેલ છે. હવે ચિંતાનો મુદ્દો એ છે કે વાતાવરણની આગાહીમાં રિઝર્વ-ડેનાં દિવસે પણ વરસાદની આશંકા સેવવામાં આવી રહી છે. એવામાં ત્યારે આપણે જાણીશું હવે બીજા વિકલ્પને વિશે.
એટલે કે જો રિઝર્વ-ડેનાં દિવસે એટલે કે બુધવારનાં રોજ પણ વરસાદને કારણે જો મેચ રદ થઇ જાય છે તો ભારતીય ટીમ નિયમોનાં હિસાબથી ફાઇનલમાં પહોંચી જશે. ટુર્નામેન્ટનાં નિયમ અનુસાર, ગ્રુપ સ્ટેજમાં જે ટીમનાં પણ અંક સૌથી વધારે હશે, તે ફાઇનલમાં રમનારી હકદાર થઇ જશે અને આ સમયે ટીમ ઇન્ડીયા સૌથી વધારે અંકો સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે.