કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે,આવનારા તહેવારો પહેલા આપણે રસીકરણની ગતિ વધારવી પડશે. દેશમાં હજી પણ કોરોનાની બીજી લહેરનો ખૌફ યથાવત છે
દેશના 35 જિલ્લાઓમાં સંક્રમણનું દર 10 ટકાથી વધુ
સપ્ટેમ્બરમાં દૈનિક 78 લાખ લોકોને રસી અપાઈ છે
બાળકોની રસી માટે કામ કરવું જોઈએ
43,263 reported in last 24 hours, over 32,000 from Kerala. Almost 68% of total cases in last week from Kerala. Overall declining trend is a little less than 50% which was there in 1st wave. We're are still witnessing 2nd surge, it's not over: Union Health Secretary Rajesh Bhushan pic.twitter.com/zKMsW9MzeH
આરોગ્ય મંત્રાલયે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાયરસના નવા કેસો અંગે કેટલાક રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક રહી છે. ખાસ કરીને વાત કરીએ તો કેરળ અને મહારાષ્ટ્રમાં સ્થિતિ સુધરી રહી નથી. ગત સપ્તાહ દરમિયાન કોરોના વાયરસના કુલ નવા કેસોમાંથી 70 ટકા તો માત્ર કેરળના છે. આપણે હજી પણ કોરોના બીજી લહેરની વચ્ચે જીવીએ છીએ
દેશના 35 જિલ્લાઓમાં સંક્રમણનું દર 10 ટકાથી વધુ
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ભારતના 35 જિલ્લાઓમાં, સાપ્તાહિક કોરોના સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે. જ્યારે 30 જિલ્લાઓમાં આ દર 5 થી 10 ટકાની વચ્ચે છે. અત્યારે દેશના 38 જિલ્લાઓમાં દરરોજ 100 થી વધુ કેસ આવી રહ્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોમાં કેરળ 61 ટકા અને મહારાષ્ટ્રમાં 13 ટકા છે. કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 10,000 થી વધુ અને 50,000 થી ઓછા સક્રિય કેસ છે.
સપ્ટેમ્બરમાં દૈનિક 78 લાખ લોકોને રસી આપવામાં આવે છે
વાત કરીએ રસીકરણની તો સમગ્ર દેશમાં રસીકરણનું કાર્ય દિવસે ને દિવસે વધી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી દેશમાં 72 કરોડ લોકોને રસીકરણ મુકવામાં આવ્યું છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, મે મહિનામાં અમે દરરોજ સરેરાશ 20 લાખ રસી આપતા હતા, જે આજે સપ્ટેમ્બરમાં માસ દરમિયાન અમે દૈનિક સરેરાશ 78 લાખ રસી આપી રહ્યા છીએ. આવનારા તહેવારોના દિવસો પહેલા આપણે રસીકરણની ઝડપ વધુ વધારવી પડશે.સિક્કિમ, દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોવિડ રસીની ઓછામાં ઓછી એક ડોઝ આપવામાં આવ્યો છે.
#WATCH | "Only a few nations have introduced vaccination for children, no WHO recommendation for it...Govt is working actively in direction of scientific validation of our vaccines for potential use in children. Zydus vaccine already licensed for children," Dr VK Paul, NITI Aayog pic.twitter.com/qZANJRAA47
નીતિ આયોગના સભ્ય ડો.વી.કે પોલે જણાવ્યું હતું કે અત્યાર સુધી 18 વર્ષથી વધુ વયના 58 ટકા લોકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, જેમાંથી 18 ટકા લોકોને કોવિડ રસીનો બીજો ડોઝ મળ્યો છે. તેમણે કહ્યું કે અમે બાળકો પર રસીના સંભવિત ઉપયોગની વૈજ્ઞાનિક પુષ્ટિ માટે સક્રિય પણે કામ કરી રહ્યા છીએ. બાળકોમાં સંભવિત ઉપયોગ માટે રસી ઉપલબ્ધ થઈ છે. શાળા ખોલવા માટે બાળકોને રસી અપાવવા માટેનો આ માપદંડ વિશ્વમાં કોઈ સ્વીકારતું નથી.