લાલુ પ્રસાદ યાદવની દીકરીએપિતાને કિડની દાન કરવાના નિર્ણય વિશે ટ્વિટ કરતાં જણાવ્યું હતું એક 'હું માનું છું કે આ માત્ર માંસનો એક નાનો ટુકડો છે જે હું મારા પિતા માટે આપવા માંગુ છું.
આ મહિને લાલુ પ્રસાદ યાદવ કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે
'માત્ર માંસનો એક નાનો ટુકડો છે' પિતાને કિડની આપવાના નિર્ણય પર બોલી રોહિણી
રોહિણીએ તેના પિતાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ હાલ દિલ્હીમાં છે અને આ મહિને લાલુ પ્રસાદ યાદવ કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાનું છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં એમને તેની નાની દીકરી રોહિણી આચાર્ય કિડની આપશે. જો કે લાલુ પ્રસાદ યાદવ ગયા મહિને સિંગાપુરના ડોક્ટરો પાસેથી ચેકઅપ કરાવીને પરત ફર્યા હતા અને ત્યારે સિંગાપુરના ડોક્ટરોએ લાલુ પ્રસાદ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી આપી દીધી હતી. ત્યારે સમાચાર બહાર આવ્યા હતા કે લાલુની નાની દીકરી રોહિણી આચાર્ય તેમને કિડની દાન કરશે. જણાવી દઈએ કે રોહિણી તેના પતિ સાથે સિંગાપોરમાં રહે છે અને ગયા મહિને જ્યારે લાલુ યાદવ સિંગાપુર ડૉક્ટરને મળવા ગયા ત્યારે તેઓ રોહિણીના ઘર પર જ રહ્યા હતા
मेरा तो मानना है की ये तो बस एक छोटा सा मांस का टुकड़ा है जो मैं अपने पापा के लिए देना चाहती हूँ.
पापा के लिए मैं कुछ भी कर सकती हूँ.आप सब दुआ कीजिए की सब बेहतर तरीके से हो जाये, और पापा फिर से आप सभी लोगों की आवाज़ बुलंद करे.
હાલ જ રોહિણી આચાર્યએ પોતાના નિર્ણય વિશે જાણ કરતાં હતું કે 'તે માત્ર માંસનો એક નાનો ટુકડો છે, જે હું આપીશ.' લાલુ પ્રસાદ યાદવની પુત્રી તેના બીમાર પિતાને કિડની દાન કરવાના નિર્ણય વિશે ટ્વિટ કરતાં જણાવ્યું હતું એક 'હું માનું છું કે આ માત્ર માંસનો એક નાનો ટુકડો છે જે હું મારા પિતા માટે આપવા માંગુ છું. હું મારા પિતા માટે કંઈ પણ કરી શકું છું બસ તમે બધા પ્રાર્થના કરો કે બધું વધુ સારી રીતે થાય. આ વિશે એમને 2 -3 ટ્વિટ કર્યા હતા અને તેમાં લખ્યું હતું કે પિતા જેણે મને આ દુનિયામાં અવાજ આપ્યો જેઓ મારું સર્વસ્વ છે તેમના માટે જો હું મારા જીવનનો એક નાનકડો હિસ્સો આપી શકું તો હું અત્યંત ભાગ્યશાળી બનીશ. ભમારા મત-પિતા મારા માટે ભગવાન છે અને તેમની પૂજા અને સેવા કરવી એ દરેક બાળકની ફરજ છે.
આ સાથે જ રોહિણીએ તેના પિતાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી અને તેમાં એક તસવીર તેના બાળપણની છે જેમાં તે પિતાના ખોળામાં બેઠેલી જોવા મળી અને તેમાં લખ્યું છે કે, 'મારા માટે માતા-પિતા ભગવાન છે. હું તેમના માટે કંઈ પણ કરી શકું છું. તમારી શુભકામનાઓએ મને વધુ મજબૂત બનાવી છે અને અને હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર કહેવા માંગુ છું.
जिस पिता ने इस दुनिया में मुझे आवाज दी. जो मेरे सबकुछ हैं, उनके लिए अगर मैं अपने जीवन का छोटा सा भी योगदान दे पाती हूँ तो मेरा परम सौभाग्य होगा.
धरती पर भगवान माँ पिता होते है इनकी पूजा सेवा हर बच्चों का फ़र्ज़ है. pic.twitter.com/g39Ry2Me3s
લાલુ પ્રસાદ યાદવને કિડની, હૃદય સહિત બીજી ઘણી બીમારીઓ છે અને આ બાબતે તેઓ ઘણા લાંબા સમયથી દિલ્હી AIIMSમાં સારવાર લઈ રહ્યા હતા. જો કે થોડા સમય પહેલા જ ત્યાંના ડોકટરોએ કહ્યું હતું કે એમને કીડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે અને એ માટે એમને સિંગાપોરમાં સારવાર કરાવવાની પણ સલાહ આપી હતી.આ પછી લાલુ યાદવ ઓક્ટોબરમાં સિંગાપોર ગયા હતા અને ત્યાંના ડોકટરો પાસે ચેકઅપ કરાવ્યું હતું.