ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલાલા અને કોડીનારમાં સુરગ મીલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. જેની સીધી અસર ગોળ ઉત્પાદન એકમો પર થતી હતી. જોકે ખેડૂતોએ કોઠા સુઝ બુદ્ધીનો ઉત્તમ પરચો આપીને ફરી એક વખત સાબીત કરી નાખ્યું કે દેશી જુગાડ જીવિંત છે. તો પછી કોની પરવાહ છે.
ગીરના જાગૃત ખેડૂતોએ શુદ્ધ અને દેશી ગોળ સંદર્ભે નવો કીમિયો તો શોધી જ કાઢ્યો છે. જોકે હવે તેઓ એ દિશામાં પ્રયત્નો હાથ ધરી રહ્યા છે કે અન્ય ખેડૂતોને શેરળીમાં યોગ્ય ભાવ મળે. ખેડૂતોએ અહી 200 જેટલા ગોળના રાબડાઓ ધમધમતા કરીને પોતાની અને અન્ય ખેડૂતોની શેરડીનું પિલાણ શરૂ કર્યું છે. જોકે ચિંતાનું હજુ એક કારણ ખેડૂતોને એ સતાવી રહ્યું છે. અન્ય રાજ્યોમાંથી અહી અખાદ્ય ગોળ ઘુસાડાઈ રહ્યો છે.
ખેડૂતોએ ગોળમાં હવે પોતાની જ બ્રાન્ડનું પેકિંગ શરૂ કર્યું છે. કેમિકલ મુક્ત ગોળમાં 1 કીલો થી લઈ 5 કીલો સુધીનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ ગોળનું બજાર ડાઉન છે. જોકે શુદ્ધ અને કેમિકલ મુક્ત આ ગોળની ખુબ ડીમાન્ડ છે.
દેશી શુદ્ધ ગોળ બનાવવા માટે મહેનત ખુબ કરવી પડે છે. ખેડૂતોના ખેતરમાંથી શેરડી કાપી લાવ્યા બાદ તેનું પિલાણ કરવું પડે છે. ત્યાર બાદ તેનો રસ કાઢવામાં આવે છે. અને નક્કી કરેલી ડીગ્રી ટેમ્પરેચરમાં તેને ગરમ કરી તેને ઘટ્ટ કરવામાં આવે છે. જે બાદ તેને શુદ્ધ લિજ્જતદાર બનાવવા માટે કુદરતી વનસ્પતિ ભીંડી નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોનું માનવું છે કે શિયાળામાં વિવિધ રીતે ગોળનું સેવન કરવાથી વર્ષ આખું તંદુરસ્તમય જાય છે.