કચ્છના અંજાર નજીકના ખેડોઇના એક મંદિરમાંથી મળ્યો 75 વર્ષ જૂનો ચોખ્ખા ઘીના શીરાનો તાજો પ્રસાદ.ગ્રામવાસીઓમાં આશ્ચર્ય સાથે ચમત્કારનો આભાસ
કચ્છના એક મંદિરમાંથી મળ્યો તાજો પ્રસાદ
પ્રસાદરૂપી શીરાનું આયુષ્ય 75 વર્ષ જેટલું
મંદિરના શિખર પર રહેલા કળશમાં હતો શીરો
કચ્છ -વડનગર કે ધોળાવીરામાં પૂરાતત્વીય અવશેષો મળ્યાનું સાંભળ્યું હશે. માનવ શરીર અને પુરાતન સંસ્કૃતિના પ્રમાણ પણ મળ્યા છે. બુદ્ધ સમયની હસ્તપ્રત કે તે સંસ્કૃતિની લીપી કે ચીજ વસ્તુઓ પણ મળ્યાના પ્રમાણ રાજ્યના પુરાતત્વ વિભાગ પાસે છે જ.પરંતુ તમે ક્યાય એવું સાંભળ્યું છે કે, હાથે બનાવેલી ખાવાની વસ્તુ 75 વર્ષે એવીને એવી જ તાજી હાથ લાગે ? હા વાત કરીએ છે શીરાની.એક એવા શીરાની જે 75 વર્ષ પછી પણ એવો ને જ તાજો શીરો જે મોમાં મુકતા વેત જ ગળા નીચે ઉતરી જાય. તમને આ વાત ગળે ઉતરે કે ના ઉતરે.કારણકે,આ શ્રદ્ધાનો વિષય છે.
શ્રદ્ધાનો જો હો વિષય
અંજાર નજીક ખેડોઈ ગામે અવિશ્વસનીય ઘટના સામે આવી છે.ગામમાં આવેલા 75 વર્ષ જુના લક્ષ્મીનારાયણ મંદિરના શિખર પર કળશમાં રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળી આવતાં ગ્રામજનોમાં માટે આશ્ચર્ય જ નહિ પરંતુ કોઈ મોટા ચમત્કારથી ઓછી ઘટના નથી. ખેડોઈ ગામના પટેલવાસમાં વર્ષ 1945માં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરાયું હતું. એ મંદિર ભૂકંપમાં જર્જરિત થઈ ગયું હોવાથી એનું શિખર બદલાવવા માટે બે દિવસ પહેલાની સવારે મંદિર ખાતે એક હવનનું આયોજન કરાયું હતું.કુંભના માથે એક તાંબાનો સિક્કો મળ્યો હતો.જે વેળાએ શિખરના ટોચ પર આવેલા કળશને ઉતારતાં એમાંથી એક નાનો કુંભ મળી આવ્યો હતો. એ કુંભના માથે એક તાંબાનો સિક્કો મળ્યો હતો, જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. એને ખોલી જોતાં જે-તે વખતે કળશની પ્રાણપ્રતિષ્ઠા સમયે ધરાવવામાં આવેલો શીરા રૂપી પ્રસાદ મળ્યો હતો. આ શીરો જાણે તાજો બનાવેલો હોય એવો અને ઘીની સુગંદવાળો હતો. આને જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા. સૌએ એ પ્રસાદ લઈ ફરી વખત ભગવાન પાસે એ શીરો ધર્યો હતો.પ્રસાદરૂપી શીરો લોકો જોઈ શકે એ રીતે રખાયો.
ભગવાન સાથે શીરાના દર્શન
ખેડોઈ ગામે આશ્ચર્ય પમાડે એવી ઘટના બની હોવાથી પુરાવારૂપે પ્રસાદરૂપે મળી આવેલો 75 વર્ષ જૂનો શીરાને મંદિરમાં સાચવી રખાયો છે, ખેડોઈ ગામમાં આ અદ્દભુત ઘટના બનતાં હાલ લોકો શીરા રૂપી પ્રસાદને જોવા અને લક્ષ્મીનારાયણ ભગવાનનાં દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.