ગાંધીનગર કોર્પોરેશનના ફાયર ઓફિસરે કરેલા સોગંદનામામાં થયો ખુલાસો, જૂના અને નવા સચિવાલય, પોલીસ ભવન જેવી કચેરીઓમાં જ ફાયરસેફ્ટી નથી
રાજ્યમાં ફાયર સેફટીની અમલવારીનો વિવાદ
હાઇકોર્ટ સમક્ષ થયેલા સોગંદનામામાં મોટો ખુલાસો
સરકારી કચેરીઓમાં 40 ટકા ઇમારતોમાં ફાયર NOC નહીં
ગુજરાતમાં ફાયર સેફટીની અમલવારીના વિવાદ બાદ હાઈકોર્ટ સમક્ષ થયેલા સોગંદનામામાં મોટો ખુલાસો થયો છે. સરકારી કચેરીઓની 40 ટકા ઇમારતોમાં ફાયર NOC નહીં હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. ગાંધીનગર કોર્પોરેશનના ફાયર ઓફિસરે કરેલા સોગંદનામું કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, જૂના અને નવા સચિવાલય, પોલીસ ભવન જેવી કચેરીઓમાં જ ફાયરસેફ્ટી નથી. ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પણ NOC ન હોવાનુ સામે આવ્યું છે. 22 સરકારી ઇમારતોમાં જ માન્ય ફાયર NOC પ્રમાણપત્ર છે. જેમાં વિધાનસભા બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલનો સમાવેશ થાય છે.