ઇન્જેકશન સારી અસર થતી હોય તેવા કોઈ પણ પુરાવા છે જ નહીં
પ્લાઝમાં થેરાપી બાદ રેમડેસિવીર પર પણ લાગી શકે છે રોક
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડૉ. ડી.એસ. રાણાનું નિવેદન
કોરોના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઇન્જેકશનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડૉ. ડી.એસ. રાણાએ કહ્યું છે કે આ દવા કોરોના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ આવી શકે છે. ANI મુજબ ડૉક્ટર રાણાએ કહ્યું છે કે આ વાતના કોઈ જ પુરાવા નથી કે આ ઇન્જેકશનના લીધે દર્દીને કોઈ પ્રકારની રાહત મળે છે.
ઇન્જેકશન સારી અસર થતી હોય તેવા કોઈ પણ પુરાવા છે જ નહીં
તેમણે કહ્યું કે સારવારને લઈને વાત સમજીએ તો કોરોના દર્દીની સારવાર માટે વપરાતા આ ઇન્જેકશન સારી અસર થતી હોય તેવા કોઈ પણ પુરાવા છે જ નહીં. એવામાં જે દવાઓ અસર નથી કરતી તેને બંધ કરવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે હાલમાં માત્ર ત્રણ જ દવાઓ અસર કરે છે. ડૉ. ડી.એસ. રાણાનું નિવેદન એવા સમયમાં સામે આવ્યું છે જ્યારે આખા દેશના લોકોએ આ ઇન્જેકશન લેવા માટે ઘણી મહેનત કરી. આ દવા કાળા બજારમાં પણ વહેંચાઈ અને લોકોએ તેના માટે 5 ગણા પૈસા પણ ચુકવ્યા, સાથે જ બજારમાં નકલી ઇન્જેક્શનો પણ આવી ગયા હતા. હવે તેમના આ નિવેદનથી ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે.
પ્લાઝમાં થેરાપી કોરોનાની સારવાર માટે કારગત નથી
ગત એક વર્ષમાં કોરોનાની સારવાર દરમિયાન પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે દેશમાં મોટા એક્સપર્ટ કહે છે કે આ થેરાપી દરેક દર્દી માટે કારગત નથી. હવે કોઈ અધ્યયનો બાદ એક્સપર્ટ પેનલે કહ્યું છે કે પ્લાઝમાં થેરાપી કોરોનાની સારવાર માટે કારગત નથી. આ બિમારી હળવા કરવા અથવા મોતની અસર ઓછી કરવા માટે અપ્રભાવી છે. આ કારણે આને કોરોનાની ગાઈડલાઈનમાંથી હટાવી દેવામાં આવી છે આ વાત સૂત્રોના હવાલાથી સામે આવી છે.