કોલસા સંકટ પર મોદી સરકારના એક પછી એક મંત્રીઓ નિવેદન આપવા લાગ્યા છે. પહેલા કોલસા મંત્રી અને હવે નાણામંત્રી સીતારામણ પણ કોલસા સંકટ અંગે બોલ્યાં છે.
કોલસા સંકટ પર નાણામંત્રી સીતારામણનું મોટું નિવેદન
કહ્યું, દેશમાં કોઈ ચીજની અછત નથી
કોલસાની અછતની તમામ ખબરો અફવા
દેશમાં કોલસા અને વીજ સંકટ ઘેરુ બની રહ્યું છે ત્યારે મોદી સરકારના એક પછી એક મંત્રીઓ સામે આવીને કોલસાની અછત ન હોવાનું રટણ કરી રહ્યાં છે. પહેલા અમિત શાહ પછી પાવર મિનિસ્ટર અને હવે નાણા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. મંત્રીઓના નિવેદન પરથી લાગી રહ્યું છે કે દેશમાં કોલસાની જરા પણ અછત નથી પરંતુ હકીકતની સામે આંખ આડા કાન થઈ શકે તેવી નથી.
કોલસા સંકટ કે બીજી કોઈ ચીજવસ્તુની અછતની ખબરો સંપૂર્ણ રીતે ખોટી
એક કાર્યક્રમમાં બોલતા નાણા મંત્રી સીતારામણે કહ્યું કે પાવર મંત્રી બે દિવસ પહેલા જ કહી ચૂક્યા છે કે કોલસા સંકટ કે બીજી કોઈ ચીજવસ્તુની અછતની ખબરો સંપૂર્ણ રીતે ખોટી છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારામનને મોસાવર-રહેમાની સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ગવર્નમેન્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતમાં હાર્વર્ડના પ્રોફેસર લોરેન્સ સમર્સની ઊર્જાની અછત અને કોલસાની અછત અંગેના અહેવાલો અંગે પૂછવામાં આવતા પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, "પુરવઠાને અસર કરી શકે તેવી કોઈ અછત નથી આ રીતે અમે દેશની સ્થિતિનું ધ્યાન રાખી રહ્યા છીએ. હવે આપણે ઊર્જા સરપ્લસ ધરાવતો દેશ છીએ.
સીતારામણ પહેલા કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીનું એક મોટું નિવેદન સામે આવ્યું હતું. કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે હું કોઈ રાજ્યનું નામ લેવા માગતો નથી પરંતુ જાન્યુઆરીથી જુન સુધી અમે રાજ્યોને સતત અનુરોધ કરી રહ્યાં હતા કે તેઓ કોલસાનો થોડો સ્ટોક વધારે. જુનમાં રાજ્યોએ કેન્દ્ર સરકારને એવી અપીલ કરી કે અમારે હવે કોલસાની જરુર નથી.
મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે અમે ગઈકાલે 1.94 મિલિયન ટન કોલસો સપ્લાય કર્યો છે. ઈતિહાસમાં આ ઘરેલુ કોલસાનો સૌથી વધારે સપ્લાય છે. પહેલા જે 15-20 દિવસનો કોલસાનો સ્ટેક હતો તે ઓછો થયો છે પરંતુ કાલે કોલસાનો સ્ટોક વધ્યો છે. મને વિશ્વાસ છે કોલસાનો સ્ટોક વધશે.