દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે દેશમાં પુરતા પ્રમાણમાં લોકોમાં ઈમ્યૂનિટી બની છે.
દેશમાં પુરતા પ્રમાણમાં લોકોમાં ઈમ્યૂનિટી - ગુલેરિયા
અમે એ અનુમાન નથી લગાવી શકતા કે વાયરસ કેવી રીતે વર્તશે- ગુલેરિયા
દેશમાં અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લોકોના મોત
દેશમાં પુરતા પ્રમાણમાં લોકોમાં ઈમ્યૂનિટી - ગુલેરિયા
કોરોનાની બીજી લહેરમાં દેશમાં સામે આવેલા મામલા અને દર્દીના મોતે સરકાર અને જનતાની ચિંતા વધારી છે. લહેર પણ એવી હતી કે સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળી ગઈ હતી. આ દરમિયાન દવાઓ અને ઓક્સિજનની અછતથી મોત થયાનું સામે આવ્યું હતું. આ બધાની વચ્ચે દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે આવનારા મહિનામાં વાયરસ નાટકીય રુપથી વેરિએન્ટ નહીં બદલે. તેમણે કહ્યું કે દેશમાં પુરતા પ્રમાણમાં લોકોમાં ઈમ્યૂનિટી બની છે.
અમે એ અનુમાન નથી લગાવી શકતા કે વાયરસ કેવી રીતે વર્તશે- ગુલેરિયા
ન્યૂઝ એજન્સી એએનઆઈના અનુસાર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અમે એ અનુમાન નથી લગાવી શકતા કે વાયરસ કેવી રીતે વર્તશે. પરંતુ એવું લાગે છે કે આવનારા મહિનામાં વાયરસ એટલો નાટકિય રીતે નહીં બદલાય. તેમણે કહ્યું કે સીરો સર્વે અનુસાર જનસંખ્યામાં પ્રતિરક્ષા પુરતા પ્રમાણમાં છે.
આ રીતે ત્રીજી લહેરને રોકી શકીએ છીએ
જો કે ગુલેરિયાએ એમ પણ કહ્યું કે કેટલાક મહિના સુધી આપણી વસ્તીના મોટાભાગનું રસીકરણ ન થઈ જાય ત્યાં સુધી ભીડ અને કારણ વગર લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. જેથી ત્રીજી લહેરને રોકી શકીએ છીએ.
ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શુક્રવારે સવારે 8 વાગે જારી આંકડા મુજબ, ભારતમાં એક દિવસમાં 35, 342 નવા કેસ આવતા કુલ કેસની સંખ્યા વધીને 3, 12, 93, 062 થઈ ગઈ છે. ત્યારે 483 લોકોના મોત થતા કુલ મોતનો આંક 4, 19, 470 થયો છે. એક્ટિવ કેસની સંખ્યા 4, 05, 513 છે. અત્યાર સુધી કુલ 45, 29, 39, 545 નમૂનાની તપાસ કરવામાં આવી. તો અત્યાર સુધીમાં કુલ 30468079 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લોકોના મોત
મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 4, 19, 470 લોકોના મોત થયા છે. જેમાંથી મહારાષ્ટ્રના 1, 31, 038 , કર્ણાટકના 36, 293, તમિલનાડુના 33, 838, દિલ્હીના 25, 040, ઉત્તર પ્રદેશના 22, 743 અને પશ્ચિમ બંગાળના 18, 040 લોકો હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી જે લોકોના મોત થયા છે. તેમાથી 70 ટકાથી વધારે દર્દી અન્ય બિમારીથી પીડિત હતા.