પંજાબમાં અટારી રેલવે સ્ટેશન પર જવા માટે વિઝાની જરૂર પડે છે અને વિઝા ન હોવા પર જેલ પણ થઇ શકે છે. જાણો વિગતવાર
ભારતનાં અટારી સ્ટેશન પર જવા માટે વિઝાની જરૂર
નહીતર થઇ શકે છે જેલ
એક તરફ ભારત છે તો બીજી તરફ પાકિસ્તાન
ઇન્ડિયન રેલવે દુનિયાનું ચોથું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ઇન્ડિયામાં કુલ 8338 રેલવે સ્ટેશન છે, જે જાળની જેમ આખા દેશમાં ફેલાયેલ છે. પરંતુ કદાચ તમને એક વાતની જાણ નહી હોય કે દેશમાં એક એવું પણ રેલવે સ્ટેશન છે, જ્યાં જવા માટે તમારે ફ્લાઈટની જેમ વિઝા અને પાસપોર્ટની પણ જરૂર પડે છે. જો આ સ્ટેશન પર ભૂલથી પણ વિઝા વગર કોઈ જાય છે, તો તેને જેલ જવું પડી શકે છે.
વિઝા વગર થઇ શકે છે જેલ
આ રેલવે સ્ટેશનનું નામ અટારી છે, પરંતુ હવે તેને અટારી શ્યામ સિંહ સ્ટેશનનાં નામથી ઓળખવામાં આવે છે. આ સ્ટેશન પર જવા માટે પાકિસ્તાની વિઝા જરૂરી છે. આ સ્ટેશન પર 24 કલાક સુરક્ષા એજન્સીઓનો ઘેરો જોવા મળે છે અને અહી આવવાવાળા કોઈપણ વ્યક્તિ માટે વિઝા હોવા ખૂબ જ જરૂરી છે અને જો કોઈપણ માણસ વિઝા વગર આ રેલવે સ્ટેશન પર પહોંચે છે, તો તે નાગરિક પર 14 ફોરેન એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવે છે અને તેણે જેલ પણ જવું પડે છે.
370 હટાવ્યા બાદ સમજોતા એક્સપ્રેસ બંધ
દેશની સૌથી VVIP ટ્રેન સમજોતા એક્સપ્રેસને આ રેલવે સ્ટેશનની લીલી ઝંડી બતાવાતી હતી. પરંતુ કશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી સમજોતા એક્સપ્રેસ બંધ છે. આ રેલવે સ્ટેશનથી ટિકિટ ખરીદનાર બધા યાત્રીઓનો પાસપોર્ટ નંબર લખવામાં આવે છે અને ત્યાર બાદ જ કન્ફર્મ સીટ આપવામાં આવે છે.
એક તરફ ભારત અને બીજી તરફ પાકિસ્તાન
પંજાબમાં ભારતનું છેલ્લું રેલવે સ્ટેશન છે 'અટારી'. એક તરફ ભારતનું અમૃતસર તો બીજી તરફ પાકિસ્તાનનું લાહોર છે. આ રેલવે સ્ટેશનનો રોલ ખૂબ જ મોટો છે, સમજોતા એક્સપ્રેસ બંધ થયા બાદ પણ અહી હંમેશા કામ ચાલતું રહે છે અને લોકોને આજે પણ અહી આવવાની પરવાનગી નથી.