દરેક લોકો પોતાનું ઘર આરામદાયક અને સુંદર બનાવવા માંગતા હોય છે પણ એ ચક્કરમાં લોકો ઘરના વાસ્તુનું ધ્યાન રાખતા નથી.
દરેક લોકો પોતાનું ઘર આરામદાયક અને સુંદર બનાવવા માંગતા હોય છે
ઘર બનાવતા સમયે દરવાજાની દિશા સાચી રાખવી ખૂબ જ જરૂરી છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરવાજાની દિશાથી ઘરમાં શુભ-અશુભ પ્રભાવ પડે છે
દરેક લોકો ઈચ્છે છે કે તેનું ખુદનું એક ઘર હોય અને એ ઘરમાં પ્રવેશ કર્તાની સાથે જ દરેક ટેન્શન અને પરેશાની ગાયબ થઈ જાય. એવું વિચારીને દરેક લોકો ખૂબ ઉત્સાહથી ઘર બનાવતા હોય છે અને એ ઘરમાં દરેક સુખ સુવિધાનું પૂરતું ધ્યાન રાખતા હોય છે. દરેક લોકો પોતાનું ઘર આરામદાયક અને સુંદર બનાવવા માંગતા હોય છે પણ એ ચક્કરમાં લોકો ઘરના વાસ્તુનું ધ્યાન રાખતા નથી. એવામાં નવા ઘરમાં પ્રવેશતાની સાથે જ જીવનમાં ઘણી પરેશાનીઓ આવવાની શરૂઆત થઈ જાય છે. ઘર બનાવવામાં દરવાજાનો ખૂબ જ મહત્વનો રોલ હોય છે. ઘર બનાવતા સમયે દરવાજાની દિશા સાચી રાખવી ખૂબ જ જરૂરી છે.
પૂર્વ દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરવાજાની દિશાથી ઘરમાં શુભ-અશુભ પ્રભાવ પડે છે. ઘરના મુખ્ય દરવાજાની દિશા પૂર્વ રાખવામાં આવે તો તેને ઘણી શુભ ગણવામાં આવે છે. જો કે તમારી કુંડળીમાં ગડબડ હોય તો આ દિશામાં દરવાજો હોવાથી કર્જમાં વધારો થવા લાગે છે.
ઉતર-પશ્ચિમ (વ્યાવ્ય દિશા)
ઘરના મુખ્ય દરવાજાને વ્યાવ્ય દિશામાં રાખવાથી ઘણો શુભ પ્રભાવ પડે છે પણ જો કુંડળીમાં શનિની ગડબડ હોય તો આ દિશામાં દરવાજો હોવાને કારણે મિત્ર પણ શત્રુ બની જાય છે અને પાડોશીઓ સાથે પણ વિવાદ થવા લાગે છે.
પશ્ચિમ દિશા
ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે. આવકના નવા સ્ત્રોત ખૂલે છે. જો કે કુંડળીમાં બુધ ગ્રહની ચાલ સારી ન હોય તો તેને કારણે ઘરમાંથી પૈસા જતાં રહે છે.
ઇશાન દિશા
ઘરના મુખ્ય દરવાજાને ઇશાન દિશામાં રાખવાથી ઘણો શુભ પ્રભાવ પડે છે પણ જો કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ ઠીક ન હોય તો તેનાથી ગંભીર બીમારી ઘરમાં પ્રવેશે છે.
દક્ષિણ દિશા
ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હોય તો માણસે જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે પણ જો કુંડળીમાં શનિ-મંગળની સ્થિતિ ઠીક હોય તો આ દિશામાં દરવાજાને કારણે જીવનમાં લોકો ઘણી પ્રગતિ કરે છે.