દરેકના જીવનમાં એક એવી વસ્તુ હોય છે જેનાથી તેને ખૂબ જ લગાવ હોય છે. પરંતુ તે વસ્તુ લોકોના મોતનું કારણ બની જાય તો? આજે અમે તમને એવી જ એક સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
320 વર્ષથી આ મ્યુઝિયમમાં છે શાપિત ખુરશી
તેના પર બેસનાર વ્યક્તિ નથી રહેતો જીવતો
જાણો શું છે આ ખુરશી પાછળની સ્ટોરી
18મી સદીમાં ઈંગ્લેન્ડના થર્સ્કમાં થોમસ બજ્બી નામનો શખ્સ રહેતો હતો. તેનો એક સાથી હતો જેનું નામ ડેનિયલ ઓટી હતું. કહેવાય છે કે આ બન્ને નકલી સિક્કા બનાવવાનું કામ કરતા હતા. ડેનિયલ થોમસનો સારો મિત્ર હતો. તેણે તેની દિકરી એલિજાબેથ સાથે લગ્ન કરી લીધા. જ્યાર બાદ બન્ને સસરા-જમાઈ બની ગયા હતા.
ખુરશી લઈ રહી છે લોકોના જીવ
બાદમાં આ મિત્રતા વધારે ઘાડ બની ગઈ. કામ બાદ બન્ને દરરોજ સાથે Thirskમાં સ્થિત પોતાના ફેવરેટ બારમાં બેસતા હતા અને ખૂબ દારૂ પીતા હતા. થોમસ તે બારમાં હંમેશા એક ખુરશી પર બેસતો હતો. જેની સાથે તેને ખૂબ પ્રેમ હતો. જો કોઈ તે ખુરશી પર બેસી જતું તો થોમસ તેની સાથે ઝગડો કરતો. પરંતુ આ ખુરશી આગળ જઈને ઘણા લોકોનો જીવ લેશે તેનો અંદાજો કોઈને ન હતો.
થોમસ અને ડેનિલ વચ્ચે થયો ઝગડો
કહાણીની શરૂઆત થાય છે વર્ષ 1702થી. એક દિવસ બારમાં કોઈ વાતને લઈને થોમસ અને ડેનિયલની વચ્ચે ઝગડો થઈ ગયો હતો. ઝગડો મારપીત સુધી પહોંચી ગયો. પછી થોમસને ચિડાવવા માટે ડેનિયલ તેની ફેવરેટ ખુરશી પર બેસી ગયો. થોમસને આ જોઈને એટલો ગુસ્સે આવ્યો કે તેણે ડેનિયલની હત્યા કરી નાખી.
પોલીસે કરી ધરપકડ
પોલિસે હત્યાના આરોપમાં થોમસની ધરપકડ કરી લીધી. જ્યાર બાદ સસરાની હત્યાના ગુનામાં થોમસને મોતની સજા ફટકારવામાં આવી. જે દિવસે થોમસને ફાંસી આપવામાં આવી રહી હતી. તે દિવસે તેને છેલ્લી ઈચ્છા પુછવામાં આવી. ફાંસી પહેલા પોતાની છેલ્લી ઈચ્છા જણાવતા થોમસે કહ્યું કે તે Thirskમાં સ્થિત બારમાં મુકેલી પોતાની ફેવરેટ ખુરશીમાં બેસીને છેલ્લી વખત ભોજન કરવા માંગે છે. થોમસની આ ઈચ્છાને માની લેવામાં આવી અને તેને તે બારમાં લઈ જવામાં આવ્યો. ભોજન કર્યા બાદ તે ત્યાંથી ઉભો થયો અને કહ્યું- "જે વ્યક્તિ આ ખુરશી પર બેસશે તેનું મૃત્યું નક્કી છે." ત્યારે આ ખુરશી હકીકતે શાપિત થઈ ગઈ.
ખુરશી પર બેસતા લોકોના થવા લાગ્યા મોત
એક રિપોર્ટ અનુસાર બીજા વિશ્વ યુદ્ધ વખતે રોયલ એનફોર્સના બે પાયલેટ તે પબમાં આવ્યા અને ખુરશી પર બેસી ગયા. પછી જેવું તે બન્ને પબમાંથી બહાર નિકળ્યા. તેમની ગાડીનો એક્સીડન્ટ થઈ ગયો અને બન્ને પાયલેટના મોત થઈ ગયા. ત્યાર બાદ જે પણ શખ્સ તેના પર બેસતો તેનું રહસ્યમયી રીતે મોત થઈ જતું. સતત થઈ રહેલા આ મૃત્યુંના કારણે માલિકે તે ખુરશીને પબના ગોડાઉનમાં મુકાવી દીધી. પરંતુ ત્યાં પણ આ ખુરશીએ લોકોનો પીછો ન છોડ્યો.
Thirskના મ્યુઝિયમમાં છે આ શાપિત ખુરશી
એક વખત ગોડાઉનમાં કોઈ સામાન મુકવા આવેલ વર્કર થાકીને તે ખુરશી પર બેસી ગયા. પછી એક કલાક બાદ જ તેનું રોડ એક્સીડન્ટમાં મોત થઈ ગયુ. આ ઘટના બાદ પદના માલિકે તે ખુરશીને થર્સ્કના મ્યુઝિયમમાં દાન કરી દીધી. ત્યારથી આ મ્યુઝિયમમાં 5 ફૂટ ઉંચાઈ પર આ ખુરશીને મુકવામાં આવી છે. જેથી કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ આ ખુરશી પર બેસી ન શકે.