સુરતના અગ્નિકાંડ બાદ અમદાવાદમાં વીટીવી દ્વારા રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યુ. અમદાવાદના અંકુર ચાર રસ્તા પાસે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અંકુરચાર રસ્તા પાસે આવેલા અંકુર કોમ્પ્લેક્ષમાં ખુલ્લેઆમ મોતના તાર લટકી રહ્યા છે. રસ્તાની પાસે આવેલા કોમ્પ્લેક્ષમાં મોતના હાઈટેન્શન કેબલ લટકે છે. મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા આ કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. આ કોમ્પ્લેક્ષમાં 3 હોસ્પિટલ અને 4 ટ્યુશન ક્લાસીસ આવેલા છે. આ કોમ્પ્લેક્ષમાં લટકી રહેલા તારથી તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. સુરતમાં થયેલા અગ્નિકાંડ બાદ પણ AMC દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતી હોય તેવુ લાગી રહ્યુ છે.