15મી ઓગસ્ટના દિવસે પીએમ મોદીનું સૌથી લાંબુ ભાષણ વર્ષ 2016માં લાલ કિલ્લા પરથી આપવામાં આવેલ ભાષણ હતું. તે સમયે તેમણે 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા
વડાપ્રધાન મોદી સતત 9મા વર્ષે નવી દિલ્હીમાં લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ સૌથી લાંબુ ભાષણ વર્ષ 2016માં આપ્યું હતું
મોદી પહેલા બિન-કોંગ્રેસી PM કે જેમને સૌથી વધુ વખત ધ્વજ ફરકાવ્યો
ભારતની આઝાદીના આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસર પર સરકાર 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવી રહી છે, જે અંતર્ગત વધુમાં વધુ ભારતીયોના ઘરે તિરંગો લહેરાવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 9મા વર્ષે નવી દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે તૈયાર છે. વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી સતત ધ્વજ ફરકાવતા રહ્યા છે. 15મી ઓગસ્ટના દિવસે પીએમ મોદીનું સૌથી લાંબુ ભાષણ વર્ષ 2016માં લાલ કિલ્લા પરથી આપવામાં આવેલ ભાષણ હતું. તે સમયે તેમણે 94 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.
સ્વતંત્રતા દિવસ પર સૌથી વધુ ભાષણ આપનાર PM કોણ ?
આપણા દેશની આઝાદી પછી દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ 15 ઓગસ્ટના રોજ સૌથી વધુ ભાષણ આપનારા વડાપ્રધાનોની યાદીમાં ટોચ પર છે. નેહરુએ સ્વતંત્રતા દિવસ પર કુલ 17 વખત દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમના પછી, ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 15 ઑગસ્ટના રોજ 16 વાર ભાષણ આપ્યું હતું, જ્યારે 2004થી 2014 સુધી વડાપ્રધાન રહેલા મનમોહન સિંહે સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાની પ્રાચી પરથી 10 વખત લોકોને સંબોધિત કર્યા હતા. સ્વતંત્રતા દિવસ પર સૌથી વધુ વખત ભાષણ આપનારા તેઓ ત્રીજા વડાપ્રધાન હતા.
મોદી પહેલા બિન-કોંગ્રેસી PM કે જેમને સૌથી વધુ વખત ધ્વજ ફરકાવ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવા બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે જેમણે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી સૌથી વધુ વખત તિરંગો ધ્વજ ફરકાવ્યો છે. તેમણે અત્યાર સુધીમાં આઠ વખત ધ્વજ ફરકાવ્યો છે. આ વર્ષે 15, ઓગસ્ટ, 2022ના રોજ તેની નવમી વખત પુનરાવર્તન થશે. પીએમ મોદી પહેલા પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીએ 1998 થી 2003 વચ્ચે સૌથી વધુ છ વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવ્યો હતો.
સ્વતંત્રતા દિવસ પર કયા PMનું સૌથી લાંબુ ભાષણ
15મી ઓગસ્ટના અવસરે આઝાદી પછી વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ ભાષણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. 1947માં પંડિત જવાહરલાલ નેહરુએ 72 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ પછી વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કુલ 94 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું, જે સ્વતંત્રતા દિવસ પર કોઈપણ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું સૌથી લાંબુ ભાષણ હતું. વર્ષ 2015માં પીએમ મોદીએ 86 મિનિટ સુધી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ સાથે વર્ષ 2017માં પીએમ મોદીએ માત્ર 56 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું. આ તેમનું સૌથી ટૂંકું ભાષણ હતું.
PM બન્યા ત્યારથી કેટલી મિનિટનું ભાષણ આપ્યું ?
નરેન્દ્ર મોદી PM બન્યા ત્યારથી 2014માં 65 મિનિટ, 2015માં 88 મિનિટ, 2016માં 94 મિનિટ, 2017માં 56 મિનિટ, 2018માં 83 મિનિટ માટે PM મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ સાથે વર્ષ 2019માં પીએમ મોદીનું ભાષણ 92 મિનિટ ચાલ્યું. વર્ષ 2020માં 90 મિનિટ અને 2021માં 88 મિનિટ માટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે લાલ કિલ્લા પરથી 10 વખત દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમાંથી વર્ષ 2005 અને 2006માં માત્ર બે વખત 50 મિનિટથી વધુ સમય લાગ્યો હતો. બાકીના વર્ષ માટે ભૂતપૂર્વ વડા પ્રધાનના ભાષણનો સમયગાળો 32 મિનિટથી 45 મિનિટનો હતો. મનમોહન સિંહનું ભાષણ 2004માં 45 મિનિટ, 2005માં 50 મિનિટ, 2006માં 50 મિનિટ, 2007માં 40 મિનિટ, 2008 અને 2009માં 45 મિનિટ, 2010માં 35 મિનિટ, 2011માં 40 મિનિટ, 0125 મિનિટ અને 325 મિનિટનું હતું. વર્ષ 2013 માં મિનિટ રહ્યું હતું. આ સાથે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની વાત કરીએ તો તેમણે 30 મિનિટથી 35 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. સૌથી ટૂંકું ભાષણ વર્ષ 2002માં 25 મિનિટનું હતું. વર્ષ 2003માં તેમણે લાલ કિલ્લા પરથી 30 મિનિટ સુધી સંબોધન કર્યું હતું.