શાકાહારી ભોજનથી સાઈડ ઈફેક્ટની સંભાવના ખૂબ જ ઓછી રહે છે અને બીમારીઓ સામે લડવા માટે શક્તિ મળે છે.
અનેક બિમારીઓ સામે મળે છે રક્ષણ
શાકાહારી ખાવાના છે અઢળક ફાયદા
જાણો તેના વિશે
સમગ્ર વિશ્વમાં શાકાહારી ભોજન માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શાકાહારી ભોજનથી સાઈડ ઈફેક્ટની સંભાવના ખૂબ જ ઓછી રહે છે અને બીમારીઓ સામે લડવા માટે શક્તિ મળે છે. શાકાહારી ભોજનનું સેવન કરવાથી એન્ટી ઓક્સિડેન્ટ્સનું નિર્માણ થાય છે. જેનાથી શરીર બીમારીઓ સામે લડવા માટે સક્ષમ બને છે. શાકાહારી ભોજન વિશેના ફાયદા જાણવા જેવા છે.
વજન ઓછું કરવામાં સહાયક
શાકાહારી ભોજન વજન ઓછું કરવામાં સહાયક છે. અમેરિકન હાર્ટ એસોસીએશને વજન ઓછું કરવા માટે શાકાહારી ભોજનનું સૂચન કર્યું છે. શાકાહારી ભોજનમાં કેલરી ઓછી હોય છે, આ કારણોસર તે વજન ઓછું કરવામાં સહાયક છે. શાકાહારી ભોજનમાં ફાઈબરની અધિક માત્રા રહેલી છે, જેનાથી શરીરમાં પાચન પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે છે.
બ્લડ શુગર અને ટાઈપ ટુ ડાયાબિટીસને નિયંત્રિત રાખે છે
શાકાહારી ભોજનનું સેવન કરવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ અને લોહીમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે. માંસાહારી વ્યક્તિઓની તુલનાએ શાકાહારી વ્યક્તિઓમાં ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ ૭૮ ટકા ઓછું હોય છે. શાકાહારી ભોજનનું સેવન કરવાથી બ્લડ શુગરનું પ્રમાણ નિયંત્રિત રહે છે અને ઈન્સ્યુલિન સંતુલિત કરવાનું કામ કરે છે.
હ્રદયનાં સ્વાસ્થ્ય માટે લાભદાયી
શાકાહારી ભોજનનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ૭૫ ટકા સુધી ઓછું થઈ જાય છે. હ્રદયની બીમારીથી મૃત્યુ થવાની સંભાવના ૪૨ ટકા સુધી ઓછી થઈ જાય છે. શાકાહારી ભોજનનું સેવન કરવાથી હ્રદય તંદુરસ્ત રહેતું હોવાનું અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે.
અન્ય ફાયદાઓ
શાકાહારી ભોજનનું સેવન કરવાથી કેન્સર, આર્થરાઈટિસ, કિડની, અલ્ઝાઈમર જેવી બીમારીઓનું જોખમ ઓછું રહે છે. શુદ્ધ શાકાહારી વ્યક્તિઓ માંસ, માછલી, સમુદ્રી જીવ, ડેરી પ્રોડક્ટ્સ, ઈંડાનું સેવન કરતા નથી.