ભારતમાં 135 થર્મલ સ્ટેશનો પૈકી 72 થર્મલ સ્ટેશનો પાસે કુલ 3 દિવસનોજ કોલસો બચ્યો છે. જેથી એવી આશંકા સેવાઈ રહી છે કે ભારતમાં મોટા પ્રમાણમાં વિજળીની અછત સર્જાઈ શકે છે.
ભારતમાં વીજળીની અછત સર્જાય તેવા ભણકારા
72 થર્મલ પાવર સ્ટેશન પાસે ગણતરીનો કોલસો બચ્યો
સમગ્ર દેશમાં કુલ 33 ટકા વીજળીની અછત સર્જાઇ શકે છે
ભારતમાં વીજળીની મોટા પ્રમાણમાં અછત આવે તેવી પરિસ્થિતી સર્જાઈ છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલય તેમજ અન્ય એજન્સીઓ દ્વારા સંગ્રહ કરેલા કોયલાની માહિતી મળ્યા બાદ વિશેષજ્ઞો દ્વારા આ મામલે ચેતવણી આપી દેવામાં આવી છે. મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે દેશના 135 થર્મલ પાવલ સંયંત્રો માંથી 72 પાસે માત્ર દિવસનો કોલસો બચ્યો છે.
લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી શકે છે
જે સંયંત્રમાં વિજળીની અછત વર્તાઈ રહી છે. તે સંયત્રોમાં 66.35 ટકા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. જેથી જો બાધાજ સંયંત્ર બંધ થયા દેશમાં કુલ 33 ટકા વીજળીની અછત સર્જાઈ શકે છે. જેના કારણે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી શકે છે. એવી આશંકા વર્તાઈ રહી છે કે ભારતમાં પણ ચીનની જેમ મોટા પ્રમાણમાં વીજળીની અછત સર્જાઈ શકે છે.
પહેલાની સરખામણીએ 18 ટકા કોલસાની અછત વર્તાઈ
સરકારના કહેવા પ્રમાણે પહેલા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2019ના રોજ રોજની 10,660 કરોડ યૂનિટ વિજળીની અછત હતી. જે 2021 ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વધીને 12,420 કરોડ પહોચી ગઈ છે. પહેલા થર્મલ પાવર સંયંત્રોમાં કુલ 62 ટકા વીજળીનું ઉત્પાદન થતું હતું. પરંતુ હવે પહેલાની સરખામણીએ કુલ 18 ટકા જેટલા કોલસાની અછત વર્તાઈ રહી છે.
ઈન્ડોનેશિયામાંથી આવતા કોલસાની કિંમત ત્રણ ગણી વધી
આપને જણાવી દઈએ કે અન્ય બાકી બચેલા 50 જેટલા સંયંત્રો પાસે 10 દિવસ અને 13 સંયંત્રો પાસે 10 દિવસ જેટલોજ કોલસો બચ્યો છે. આ બે વર્ષમાં ઈન્ડોનેશિયામાંથી આવતા કોલસાની કિંમત ઘટીને 60 ડોલરથી 200 ડોલર પહોચી ગઈ છે. જેથી 2019-20થી વીજળીની અછત સર્જાઈ રહી છે.